By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કર્ણાટકમાં મહારાષ્ટ્ર જેવી સ્થિતિ સર્જાશે ! કોંગ્રેસના 60 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જશે : કુમારસ્વામી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કર્ણાટકમાં મહારાષ્ટ્ર જેવી સ્થિતિ સર્જાશે ! કોંગ્રેસના 60 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જશે : કુમારસ્વામી
GeneralNational

કર્ણાટકમાં મહારાષ્ટ્ર જેવી સ્થિતિ સર્જાશે ! કોંગ્રેસના 60 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જશે : કુમારસ્વામી

HM News
Last updated: 11/12/2023 10:40 AM
HM News
2 years ago
Share
SHARE

– કેસોનો સામનો કરી રહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાની ભાજપ સાથે વાતચીત થઈ રહી હોવાનો કુમારસ્વામીનો દાવો
– કુમારસ્વામીએ કહ્યું, કોંગ્રેસી નેતા કેસોથી બચવા ગમે ત્યારે ભાજપમાં સામેલ થશે, કર્ણાટકમાં મહારાષ્ટ્ર જેવી સ્થિતિ સર્જાશે

કર્ણાટક, તા.12 નવેમ્બર-2023, સોમવાર : કર્ણાટકમાં મોટી રાજકીય ઉથલ-પાથલ થવાનો અને કોંગ્રેસની સરકાર પડી ભાંગવાની તૈયારીઓ થઈ રહી હોવાનો JDSએ દાવો કર્યો છે.આ ચોંકાવનારું નિવેદન જનતા દળ (સેક્યુલર)ના નેતા એચ.ડી.કુમારસ્વામીએ આપ્યું છે.તેમણે કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર ગમે ત્યારે પડી શકે છે.તેમણે એમ પણ કહ્યું કે, સત્તાધારી કોંગ્રેસના એક દિગ્ગજ મંત્રી કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલ કાયદાકીય મુશ્કેલીઓથી બચવા ભાજપમાં સામેલ થવાનું વિચારી રહ્યા છે.આ જ કારણે તેઓ BJPના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

કોંગ્રેસ સરકારમાં વિખવાદ ?

જેડીએસ નેતાએ પત્રકારોને જણાવ્યું કે, કોંગ્રેસ સરકાર વિખવાદ ચાલી રહ્યો છે.તેઓ જાણતા નથી કે, કોંગ્રેસની સરકાર ક્યારે પડશે.એક મંત્રી પોતાના વિરુદ્ધ કેસોથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.કુમારસ્વામીએ વધુમાં કહ્યું કે, કેન્દ્રએ તે નેતા વિરુદ્ધ એવા કેસો નોંધ્યા છે,જેમાંથી બચવાની કોઈ સંભાવના નથી. જ્યારે પત્રકારોએ નામ પૂછ્યું તો તેમણે કહ્યું કે, નાના નેતાઓ પાસે આવી આશા ન રાખી શકાય,માત્ર પ્રભાવશાળી લોકો જ આવું કરી શકે છે.તેમણે કહ્યું કે, કર્ણાટકમાં પણ કોઈપણ સમયે મહારાષ્ટ્ર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.વર્તમાન રાજકીય માહોલ જોતા એવું લાગી રહ્યું છે કે, કંઈપણ થઈ શકે છે.

કુમારસ્વામીના નિવેદન પર કોંગ્રેસે આપ્યો વળતો જવાબ

કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેએ કહ્યું કે, કર્ણાટકમાં ચૂંટણી બાદ જેડીએસનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી.જેડીએસ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે.ખડગેએ વધુમાં કહ્યું કે, બીઆરએસે ભાજપ સાથે ગઠબંધન કર્યું.તેઓ એક પક્ષ તરીકે પોતાની સ્થિતિ સુનિશ્ચિત કરવા જે કરી શકે છે,તેઓ તે કરી રહ્યા છે.તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસનો સફાયો થવાની વાત ભુલી જાવ.ચૂંટણી પહેલા જેડીએસ પણ નહીં રહે અને ભાજપ પણ નહીં રહે.

બ્રિટન ભારતને આતંકી ટાઇગર હનીફ નહીં સોંપે
નામચીન બુટલેગર નિલેશ ઉર્ફે નીલિયો ઘોડો પારડીથી ઝડપાયો
PM મોદીએ સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહને આપી શ્રદ્ધાંજલિ
PM મોદીએ ગૃહમંત્રાલયને કર્યો ખાસ આદેશ : જાણો ક્યાં આકરા પગલાં લેવાઈ શકે છે અને કઈ સેવાઓ થઇ શકે છે પ્રભાવિત
ચીખલીના બોડવાંક નજીકથી નવસારી LCBએ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બેને ઝડપાયા
Share This Article
Facebook Email Print
Previous Article આભવા સ્થિત રામજીવાડી હોલનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાયું
Next Article કોરોના સંક્રમણમાં થઈ રહ્યો છે સતત વધારો, 24 કલાકમાં 640 નવા દર્દી નોંધાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up