બેંગલોર, તા. 19 માર્ચ 2022 શનિવાર : કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્યમાં હિજાબ વિવાદ સાથે જોડાયેલો કિસ્સો સામે આવ્યો છે.અહીં ઉપ્પિનંગાડીમાં 231 મુસ્લિમ વિદ્યાર્થીઓએ શાસકીય પીયુ કોલેજની પરીક્ષામાં બેસવાથી મનાઈ કરી દીધી છે.શુક્રવારે કોલેજે કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યુ હતુ કે તેઓ હિજાબ પહેરીને પરીક્ષામાં સામેલ થઈ શકતા નથી.જે બાદ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ કેમ્પસમાં જોરદાર પ્રદર્શન કર્યુ.
મીડિયા રિપોર્ટસ અનુસાર કોલેજે હાઈકોર્ટના આદેશનો હવાલો આપ્યો હતો.પીયુ કોલેજના ઉપ નિદેશકે કહ્યુ કે કોર્ટના આદેશનુ ઉલ્લંઘન કરનાર પરીક્ષામાં સામેલ થઈ શકશે નહીં.મંગળવારે હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં રાજ્ય સરકારના આદેશને જાળવી રાખ્યો હતો.કોર્ટે હિજાબ પ્રતિબંધ સામે ઉભેલી 6 વિદ્યાર્થીઓની અરજીને ફગાવી હતી.
શુ હતો કેસ
મંગલુરુ સાથે 50 કિમી દૂર હાજર ઉપ્પિનંગાડીમાં કન્નડ પરીક્ષા આયોજિત થઈ હતી.અહીં કેટલાક મુસ્લિમ મહિલાઓ હિજાબ પહેરીને પહોંચી હતી અને કોલેજે તેમને પરીક્ષામાં બેસવાની અનુમતિ આપી નહીં. જેના કારણે કેમ્પસમાં તણાવ શરૂ થઈ ગયો અને અહીં લગભગ 250 લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ.પ્રદર્શન કરનારમાં પુરુષ પણ સામેલ હતા અને મહિલાઓને હિજાબ પહેરીને પરીક્ષામાં બેસવાની અનુમતિ માગ કરી રહ્યા હતા.
વિસ્તારના મુસ્લિમ નેતાઓએ વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો,પરંતુ કેટલાક મુસ્લિમ વિદ્યાર્થી પરીક્ષામાં સામેલ થયા વિના જ પાછા ફર્યા.
અરજીઓ પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર
કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકાર આપતી અરજીઓ પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ બુધવારે તૈયાર થઈ ગઈ છે.હોળીની રજા બાદ આ અરજીઓ પર સુનાવણી કરવામાં આવશે.મુખ્ય ન્યાયાધીશ એનવી રમણની અધ્યક્ષવાળી બેન્ચે વિદ્યાર્થીઓ તરફથી રજૂ થયેલા વકીલ સંજય હેગડેની આ દલીલ પર ધ્યાન આપ્યુ કે આગામી પરીક્ષાઓના કારણે કેસમાં તત્કાલ સુનાવણીની જરૂર છે.