કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ ગૌહત્યા સામેના વટહુકમ પર હસ્તાક્ષર કર્યા છે. કર્ણાટકમાં ગાયની કતલને રોકવા પશુ સુરક્ષા બિલ 2020ના નામે પસાર કરાયેલા વટહુકમમાં રાજ્યમાં ગાયોની હત્યા, તસ્કરી,ગેરકાયદેસર પરિવહન અને અત્યાચાર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.
ડિસેમ્બરમાં વિધાનસભામાં ગાય હત્યા વિરોધી વિધેયક પસાર કરાયું હતું. આ સમય દરમિયાન વિપક્ષે ગૃહમાં હોબાળો કર્યો હતો. વિપક્ષી નેતા સિદ્ધારમૈયાએ આરોપ લગાવ્યો કે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં બિલ અંગે ચર્ચા કરવામાં આવી નથી.તેમણે ચર્ચા કરી હતી કે નવા બીલ લાગુ કરવામાં આવશે નહીં. આ દરમિયાન ગૃહમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસે આશંકા વ્યક્ત કરી હતી કે સાંપ્રદાયિક ધોરણે ધ્રુવીકરણ અને લઘુમતીઓને નિશાન બનાવવા માટે આ બિલનો દુરૂપયોગ થઈ શકે છે. બીજી તરફ ભાજપે કહ્યું હતું કે આ ખરડો ગાયોની સુરક્ષા માટે છે જે હિન્દુઓ માટે પવિત્ર છે.