આજે DGP આશિષ ભાટિયાએ ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુ અને ભારત બંધના એલાનને લઈને મહત્વની જાહેરાત કરી હતી. DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે આગામી આદેશ સુધી ચાર શહેરો એટલે કે અમદાવાદ રાજકોટ વડોદરા સુરત માં રાત્રી કર્ફ્યુ હાલની જેમ જ યથાવત્ રહેશે. આ સિવાય આવતીકાલે ભારત બંધના એલાનને લઈને તેમણે ઉમેર્યું હતું કે આવતી કાલ રાજ્યમાં 144ની કલમ લાગુ રહેશે.આ સિવાય જો કોઈ વ્યક્તિ બળજબરીથી બંધ કરાવવા નીકળશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતમા આજે (20 નવેમ્બર) 2 મહિના પછી રેકોર્ડ બ્રેક કોરોના કેસ જોવા મળ્યા છે – 1420 નવાં કેસ નોંધાયા છે.વધતાં કેસને લઈને નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઈ પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું અમદાવાદ બાદ સુરત,વડોદરા અને રાજકોટમાં પણ રાત્રી કરફ્યુ લગાડવામાં આવ્યું છે.
રાત્રિ દરમિયાન 9 થી 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહશે,જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આ કર્ફ્યુ લાગુ રેહશે.