મુંબઈ, તા.૧૮ : દિનેશ કાર્તિકે આઇપીએલમાં ઝંઝાવાત જગાવતી બેટીંગ કરતાં ટીમની સફળતામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.કાર્તિકે દિલ્હી સામેની મેચમાં બેંગ્લોર તરફથી આક્રમક બેટિંગ કરતાં ૩૪ બોલમાં અણનમ ૬૬ રન ફટકાર્યા હતા અને બે કેચ ઝડપ્યા હતા.કાર્તિકે ત્યાર બાદ ભારતીય ટીમમાં પુનરાગમન માટેની આશા વ્યક્ત કરી હતી.બેંગ્લોરના સિનિયર પ્લેયર કોહલીએ પણ કહ્યું હતુ કે, કાર્તિકે ભારતીય ટીમમાં પુનરાગમન કરવા માટેની મજબૂત દાવેદારી રજુ કરી છે.આઇપીએલની આ સિઝનમાં કાર્તિકે છ ઈનિંગમાં ૨૦૯.૯૭ના સ્ટ્રાઈકરેટ સાથે ૧૯૭ રન ફટકાર્યા છે.કોહલીએ દિલ્હી સામેની મેચ જીત્યા બાદ કાર્તિકના વખાણ કરતાં કહ્યું હતુ કે, હું અત્યાર સુધીની આઇપીએલ ધૂમ મચાવનારા ખેલાડી સાથે ઉભો છું.તેણે દિનેશ કાર્તિકને કહ્યું હતુ કે, હું આવું જ ફોર્મ આગળ વધાર તેવું નહીં કહું કારણ કે હું જોઈ રહ્યો છું કે, તેવું જ થવાનું છે.તને આ પ્રકારે બેટિંગ કરતાં જોવો એક લાહવો છે.ટીમને જીત અપાવવા બદલ આભાર.
કોહલીએ કહ્યું કે, હું જ નહીં.બેંગ્લોરનો ભૂતપૂર્વ પ્લેયર ડી વિલિયર્સ પણ દિનેશ કાર્તિકની ઈનિંગ જોઈને ખુશ છે.કાર્તિક પણ ડી વિલિયર્સની જેમ ટીમને જીતાડી રહ્યો છે.દિનેશ કાર્તિકે પણ ભારતીય ટીમમાં પુનરાગમનની આશા વ્યક્ત કરતાં કહ્યું હતુ કે, હું સખત મહેનત કરી રહ્યો છું અને મને ટીમ ઈન્ડિયામાં પુનરાગમનની આશા છે.મારું એકમાત્ર લક્ષ્ય ભારતીય ટીમમાં પાછા ફરવાનું છે.