By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કાલથી ચૂંટણી પ્રચાર બંધ : BJPના નેતાઓ આજે સભા ગજવશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > કાલથી ચૂંટણી પ્રચાર બંધ : BJPના નેતાઓ આજે સભા ગજવશે
GandhinagarGeneralPolitics

કાલથી ચૂંટણી પ્રચાર બંધ : BJPના નેતાઓ આજે સભા ગજવશે

HM News
Last updated: 31/10/2020 8:10 AM
HM News
5 years ago
Share
SHARE

ગાંધીનગર : આઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે પ્રચાર માટે હવે માત્ર ૪૮ કલાકનો જ સમય રહ્યો છે.રવિવારે સાંજે પ્રચારની અવધિ પૂર્ણ થાય તે પહેલા ચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસમાં નેતા-કાર્યકરો માટે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ આકર પામી રહી છે.ભાજપમાં મુખ્યમંત્રી રૂપાણી સહિત દોઢ ડઝનથી વધુ નેતાઓ શનિવારે ચૂંટણી સભાઓ ગજવશે.

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન બાદ ગુરુવારે ભાજપના પ્રદેશ નેતાઓએ ચૂંટણી પ્રચાર સ્થગિત રાખ્યો હતો.શુક્રવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોરબી, કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ ધારી મતક્ષેત્રમાં ભાજપના ઉમદેવારોને જીતાડવા ચૂંટણી સભાઓ સંબોધી હતી.શનિવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારીના બગસરામાં ચૂંટણી સભા યોજશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અબડાસામાં જ્યારે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કરજણમાં ભાજપનો પ્રચાર કરશે.આઠેય બેઠકો ઉપર મંગળવારે મતદાન યોજાવાનું છે.તે પહેલાં મતદારો શાંતિપૂર્વક પોતાના મતાધિકારના ઉપયોગ સંદર્ભે નિર્ણય લઈ શકે તે માટે આચારસંહિતના નિયમો અનુસાર રવિવારની સાંજથી ચૂંટણી પ્રચાર બંધ થશે.તેની સાથે જ જે તે મતક્ષેત્રના મતદાર ન હોય તેવા રાજકીય આગેવાનો, પ્રચારકોએ બેઠકનો વિસ્તાર છોડવો અનિવાર્ય છે. આથી, શનિવારે ચૂંટણી સભાઓ બાદ ભાજપના ઉમેદવારો સાથે પ્રદેશના નેતાઓ,કેન્દ્રીય મંત્રીઓ રવિવારે છેલ્લા કલાકો દરમિયાન રોડ- શો યોજીને પ્રચાર કરશે.

ભાજપે પાટીદાર સહિત વિવિધ સમાજો સાથે ગ્રૂપ મિટિંગ યોજી

પક્ષપલટો કરીને આવેલા ઉમેદવારોને કારણે કરજણ, મોરબી, ધારી અને અબડાસા એમ ચારેય બેઠકોમાં ભાજપ માટે કપરાં ચઢાણરૂપ હોવાના અહેવાલો વચ્ચે છેલ્લી ઘડીએ વિવિધ જ્ઞાતિ- સમાજોને આગેવાનો સાથે ગ્રૂપ મિટિંગો શરૂ કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા શુક્રવારે મોરબીમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. કરજણ, ગઢડા અને લીંબડીમાં પણ ઓબીસી સમૂહની જ્ઞાતિઓના આગેવાનો સાથે ભાજપના હોદ્દેદારો ગ્રૂપ મિટિંગ યોજી રહ્યા છે.

છેલ્લા ૪૮ કલાકમાં કોંગ્રેસ સભાને બદલે માઈક્રો બૂથ મેનેજમેન્ટ કરશે

કરઝણ, અબડાસા, ગઢડા, ધારી, લીંમડી, કપરાડા સહિતના વિધાનસભા મતક્ષેત્રોમાં કોંગ્રેસના પ્રદેશ નેતા સહિત પ્રભારી રાજીવ સાતવે જાહેર ચૂંટણી સભાઓ યોજી છે. રવિવારે સાંજે જાહેર પ્રચાર બંધ થાય તે પહેલાંના ૪૮ કલાકમાં કોંગ્રેસના પ્રદેશ નેતાઓ, બેઠક પ્રભારી આગેવાનો માઈક્રો લેવલે બૂથ મેનેજમેન્ટ કરશે. તદ્ઉપરાંત ડોર ટુ .ડોર કેમ્પેઈન, ફળિયા, મહોલ્લા અને સોસાયટીઓમાં નાના પાયે બેઠકો યોજીને મતદારોનો સંપર્ક કરશે. આ બે દિવસ કોંગ્રેસના ઉમેદવારોએ ગ્રામ્ય વિસ્તારોમાં સંપર્કને વધુ સચેત પડશે.

દિલ્હીના હિંસાગ્રસ્ત જહાંગીરપુરીમાં બુલડોઝર ફેરવી દેવાયું
ડેકક્ન ચાર્જરને હટાવવું પડ્યું BCCIને ભારે,લાગ્યો 4800 કરોડનો દંડ,વાંચો શું કરશે હવે બોર્ડ
આ શખ્સે રશિયાની એમ્બેસીમાં ટ્રક કેમ ઘૂસાડી દીધી, જાણો કયા દેશનો છે નાગરિક ?
CM ભૂપેન્દ્ર પટેલે રસ્તાના સમારકામ માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને 2 કરોડની ગ્રાન્ટ ફાળવી
મધ્ય પ્રદેશમાં બહુમત પરીક્ષણ ક્યારે? સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ
Share This Article
Facebook Email Print
Previous Article અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને શિવસેનામાં મળશે મોટું સ્થાન મળશે : સંજય રાઉત
Next Article 18% ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે, તો 25% ઉમેદવારો પાસે છે કરોડો રૂપિયાની સંપત્તિ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up