ગુજરાતમાં ગાંધીનગર વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ કાલે પ્રથમ વખત અમદાવાદ આવી રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના ભાજપના નેતાઓની આ વિજય બદલ પીઠ થાબડશે.શાહ કાલે પ્રથમ નોરતે કૌટુંબિક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે.ઉપરાંત તેઓ તેમના મતવિસ્તારના કેટલાક વિકાસ- લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે.