ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે.રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.આજરોજ પાટનગર ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઇ હતી.
– રાજ્યમાં 94 ટકા લોકોને વિના મુલ્યે અનાજનું વિતરણ કરાયું
– કોરોના વાયરસ સંકટ વચ્ચે કુંવરજી બાવળીયાનું નિવેદન
– પશુપાલકોને ઘાસચારા માટે કોઈ મુશ્કેલી ઉભી નહીં થાય
આ બેઠકમાં રાજ્યના મંત્રીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ હાલમાં કોરોનાના લઇને ચાલી રહેલા લોકડાઉનના પગલે જણાવ્યું હતું કે રાજ્યમાં 94 ટકા લોકોને વિના મુલ્યે અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે.
રાજયના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું કે આ સાથે જ આવશ્યક વસ્તુઓના ભાવ નિયંત્રિત રખાશે.જ્યારે બીજી તરફ લોકડાઉનના પગલે જો કોઇપણ દ્વારા કાળાબજારી કરવામાં આવશે તો કડક કાર્યાવાહી હાથ ધરવામાં આવશે.
રાજ્યમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે પશુપાલકોને ઘાસચારા માટે કોઇ મુશ્કેલી ઉભી નહીં થાય.આ સાથે રાજ્યના ખેડૂતોને સિંચાઇ માટે પણ પાણીની કોઇ અછતી નહીં સર્જાય.