[weather_data]
Breaking News
TRENDING NEWS

‘કિસાન સૂર્યોદય યોજના’માં 4000 ગામોને આવરી લેવાશે

[updated_date] [post_views]

Table of Content

બાયડ : ઉતર ગુજરાતમાં કિસાન સર્વોદય યોજનાનો મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીને હસ્તે અરવલ્લીથી પ્રારંભ થયો હતો.ચાલુ મહિનાના અંત સુધીમાં રાજ્યના 4000 ગામોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે,જેથી આ યોજના હેઠળ ખેડૂતોને દિવસ દરમ્યાન પણ ખેતી માટે વીજપુરવઠો મળી રહેશે. રાજ્યમાં રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે,એ પહેલાં વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્યનાં તમામ ગામોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે,એમ તેમણે કહ્યું હતું.

વડા પ્રધાન મોદીએ ગયા વર્ષે સૂર્યોદય યોજનાનું ઉદઘાટન કર્યું હતું,જેમાં પ્રથમ તબક્કામાં એક લાખ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા હતા,જ્યારે બીજા તબક્કામાં આ યોજનાનો 1.90 લાખ ખેડૂતોને લાભ મળશે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર રૂ. 35000 કરોડના ખર્ચે નવી ટ્રાન્સમિશન લાઇન અને સબ-સ્ટેશન સ્થાપિત કરશે.ખેડૂતોને ત્રણમાંથી એક શિફ્ટમાં ખેતી માટે વીજળી મળે છે,તેમને સપ્તાહના બધા દિવસ દરમ્યાન યોજના હેઠળ ખેતી માટે વીજપુરવઠો મળી રહેશે.આ યોજના હેઠળ આ મહિનાના અંત સુધીમાં રાજ્યના 4000 ગામડાં દૈનિક ધોરણે ખેતી માટે વીજપુરવઠો મળશે. વર્ષ 2022 સુધીમાં રાજ્યનાં તમામ ગામોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles