અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં મોટો વિખવાદ હોવાના એક સામાચાર સામે આવી રહ્યા છે.અખિલ ભારતીય કોળી સમાજના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળીયા દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલાને પદ પરથી નિષ્કર્ષિત કરવામાં આવ્યા છે.જેના કારણે કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા સામે વિરોધના સુર ઉઠી શકે છે. 8 જાન્યુઆરી 2020ના રોજ આ બાબતે પત્ર લખવામાં આવ્યો હતો.એવી પણ માહિતી મળી રહી છે કે,અગાઉ સંસ્થાના લેટર પેડ પર ચંદ્રવદન પીઠાવાલાએ LRD આંદોલનને સમર્થન આપવાની વાત લખી હતી.ત્યારબાદ કુંવરજી બાવળીયા દ્વારા ચંદ્રવદન પીઠાવાલાને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
મહત્ત્વની વાત છે કે, 10 જૂન 2020ના રોજ કુંવરજી બાવળીયાનો કાર્યકાળ પૂર્ણ થયો હોવાના કારણે તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે લીધેલો આ નિર્ણય માન્ય ગણાશે નહી. 8 જૂનના 2020ના રોજ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠન દ્વારા 13 જૂન 2020 દ્વારા કુંવરજી બાવળીયા કોઈ નિર્ણય નહીં લઇ શકે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.એટલે 13 જૂન પછીથી પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા જે પણ નિર્ણય કર્યા હોય તે માન્ય ગણાશે નહીં.જે પણ ચૂંટણી છે તે કોરોનાના હોલ્ડ પર મૂકવામાં આવ્યું છે. જ્યારે એક કરતા વધારે લોકો ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરશે ત્યારે બેલેટ પેપરમાં માધ્યમથી ચૂંટણી અધિકારીની હાજરીમાં ચૂંટણી યોજવામાં આવશે.જેથી તેમને કાર્યકાળ પૂર્ણ થયા પછી કુંવરજીએ આ નિર્ણય કરતા કોળી સમાજનું રાષ્ટ્રીય સંગઠન નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ચંદ્રવદન પીઠાવાલાને પત્ર લખીને માહિતી આપી હતી કે,અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હી સંસ્થા સામાજિક સંસ્થા છે.આ સંસ્થા કોળી સમાજના વિકાસના પશ્નો અંગે તેમજ ભારતભરમાં વસતા કોળી સમાજના માટે સામાજિક રીતે ઉત્થાનનું કાર્ય કરે છે.આ સસ્ન્થા કોઈ પણ રાજકીય પ્રવૃત્તિમાં ક્યારેય પણ પોતાનો મત કે, અભિપ્રાય આપતી નથી કે,સંસ્થાના પ્રમુખ તમામ હોદ્દેદારોને પણ ક્યારેય કોઈ પણ રાજકીય સંગઠનના નામે લેટર પેડ પર પોતાનો અભિપ્રાય કે,મત આપતી નથી.તેમજ સંસ્થાના બંધારણ મુજબ રાજકીય બાબતોથી પર રહીને સંસ્થાને કાર્ય કરવાનું હોય છે.
પણ આપના લેટર પેડનો દુરુપયોગ કરીને રાજકીય બાબતમાં લેટર પેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જે અનુસંધાને આપણે 4-01-2021ના રોજ નોટિસ આપવામાં આવેલ અને તેનો રજૂ કરવા જણાવવામાં આવેલ પરંતુ આપના તરફથી આ અંગે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેને ધ્યાનમાં લઇને આપણે અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ તારીકીના હોદ્દા પરથી નિષ્કર્ષિત કરવામાં આવે છે.
આ બાબતે અખિલ ભારતીય કોળી સમાજના કાર્યકારી અધ્યક્ષ અજીત પટેલે જણાવ્યું હતું કે,આમા સમાજને કઈ લેવા દેવા નથી.એ લોકોને વ્યક્તિગત મનદુઃખ હોય તેને આ પ્રકારે સમાજ મારફતે વ્યક્ત કરવું તે મારી દૃષ્ટિએ યોગ્ય નથી. આમાં સમાજની બદનામી થાય છે અને સમાજના સંગઠનને નુકસાન થાય છે.એટલે આવું કામ આ લોકો કરવું જોઈએ નહીં.આ કુંવરજીભાઈ અને ચંદ્રવદનભાઈએ મારી દૃષ્ટિએ ખોટું કામ કર્યું છે.