– નવજીવન સોસાયટીમાં પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા.
મુંબઈ : સટ્ટાબાજીના દિગ્ગજ મનાતા રતન ખત્રીનું મુંબઈમાં નિધન થયું છે.તે 88 વર્ષના હતા.પરિવારના સૂત્રોએ જાણકારી આપી કે તે થોડા સમયથી બીમાર હતા અને તેમણે મધ્ય મુંબઈમાં આવેલી નવજીવન સોસાયટીમાં પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા છે.સિંધી પરિવારથી આવેલા ખત્રી ભાગલા સમયે પાકિસ્તાનના કરાંચીથી મુંબઈ આવ્યા હતા.તે સમયે રતન ખત્રી યુવાન હતા.મટકા કિંગના નામથી પ્રખ્યાત ખત્રીને 1962માં મુંબઈમાં શરુ થયેલા એક જુગારના પ્રકાર મટકાને કબદલવાનો શ્રેય મળે છે.તેના પછી મટકા દેશભરમાં સટ્ટાબાજીનું એક મોટુ રેકેટ બની ગયું અને કેટલાય દશકા સુધી તેની પર મટકા કિંગ કહેવાતા રતન ખત્રીનું રાજ રહ્યું હતું.
જેના એક બોલ પર દરરોજ અબજોની હારજીત વર્ષોથી થતી તેવા વરલી મટકાની દુનિયાના બેતાજ બાદશાહ સમા મટકા કીંગ રતન ખત્રીનું ૮૮ વર્ષની વયે મુંબઇમાં થોડા સમયની બીમારી બાદ અંતિમ શ્વાસ લેતા દંતકથાના નાયક જેવા આ શખ્સના નિધનથી એક યુગનો અંત આવ્યો છે,૪૮ વર્ષ અગાઉ પણ રતન ખત્રી ગંજી પતાના ૩ પાના ખેંચાવી આખા ભારતમાં મોબાઇલ યુગનો જન્મ પણ થયો નહોતો તેવા સમયે કેવી ટેકનીકથી કયો આંકડો જાહેર થયો તેની વાત પ્રસરાવી દેતા તે આખી કથા ખુબ જ રસપ્રદ અને જાણવા લાયક છે.મટકા કીંગ તરીકે જાણીતા અને જેના વ્યકિત્વ વિષે અનેક કથાઓ પ્રસરી હતી તેવા સ્વ.રતન ખત્રી ખુબ જ સાદો પહેરવેશ પહેરતા (જભ્ભો-લેંઘો) તેમના માથા પર કાયમના માટે મફલર વિટાળેલું રહેતું અને તેઓના ખિસ્સામાં ગંજીપતાની કીટ રહેતી અને તેઓ જયાં હોય ત્યાંથી આંકડો જાહેર કરતા જ ગણત્રીના સમયમાં હારજીતના હિસાબ થવા લાગતા એ સમયે બે વખત આંકડા નિકળતા જેને વરલી મટકાની દુનિયામાં ઓપન અને કેન તરીકે ઓળખાતા.વરલી મટકાની દુનિયાના બેતાજ બાદશાહ સમા રતન ખત્રી સૌરાષ્ટ્રના બુકીઓની માંગણી અને લાગણી ધ્યાને લઇ રાજકોટના સટ્ટાબજારમાં ત્રંબકમામા તરીકે જાણીતા અગ્રણીને ત્યાં આવેલા અને સૌરાષ્ટ્રના મોટા ગજાના બુકીઓની હાજરીમાં આંકડા જાહેર કરેલા.તેઓએ જણાવેલ કે માનો યા ન માનો રોજ એક અબજની હારજીત થાય છે.બુકીઓને ત્યાં સ્લીપો લખવી,સાચવવી,અન્ય બુકીઓને સંદેશા મોકલવા માટે ૧૦ લાખ લોકો એ યુગમાં રોજગારી મેળવતા.ગંજીપતાના પર પાનામાંથી રાજા-રાણી-ગુલામ-જોકર વિગેરે કાઢી બાકીના ૪૦ પાનામાંથી જુદી જુદી ૩ વ્યકિત પાસે અલગ-અલગ પાના કઢાવી જે પાના નિકળ્યા હોય તેની ફિકસ ટાઇમ કોલ્સ મારફત તથા ઘણી જગ્યાએ એન્જીનની વ્યવસ્થિત વાગતી સીટી આધારે જાણ કરવામાં આવતી.ટેકનોલોજીનો અભાવ છતા મટકા સામ્રાજયનું નેટવર્ક અદભુત હતું ઓપનનો આંક રાત્રે ૮ અને ૧૦ મીનીટે તથા કેનનો (કલોઝીંગ) આંક રાત્રે ૧૧ અને૧૦ મીનીટે જાહેર થતો.એક વખત તો રતન ખત્રીએ પોલીસ વાનમાં તેઓને લઇ જતા હતા ત્યારે પોલીસ વાનમાંથી જ આંકડો જાહેર કર્યો હતો.ટેલીફોનમાં આ માટેના ખાસ કોડ રાખવામાં આવેલ.આમ રતન ખત્રીએ અંતિમ શ્વાસ લેતા મટકાની દુનિયાના એક અનોખા સામ્રાજયનો અંત આવ્યો છે.
૧૯૭૨માં સૌરાષ્ટ્રના બુકીઓની હાજરીમાં રાજકોટમાં રતન ખત્રીએ આંકડા ખોલેલા
૪૮ વર્ષ અગાઉ જેના એક બોલ પર રોજ એક અબજની હારજીત થતી તેવા મટકા કીંગે અંતિમ શ્વાસ લેતા દંતકથા જેવા એક યુગનો અંત આવ્યો : ઝભ્ભા-લેંઘાના સાદો પહેરવેશ : માથાના દુઃખાવાને લઇ માથે કાયમ મફલર રહેતું : દરરોજ બે વખત મટકાની દુનિયાના આ બેતાજ બાદશાહ પર પતામાંથી રાજા-રાણી-ગુલામ-જોકર બાદ કરી ૪૦ પાનામાંથી ૩ અલગ-અલગ વ્યકિતઓ પાસે પાના ખેંચાવતા : નવાઇની વાત એ છે કે ટેકનીકલનો ‘ટ’ કોઇ જાણતું ન હોવા છતા ગણત્રીના સમયમાં આખા દેશમાં આંકડા જાહેર થઇ જતા : ફિરોઝ ખાનની સુપરહીટ ફિલ્મ ”ધર્માત્મા” રતન ખત્રીના જીવન પરથી બનાવવામાં આવેલઃ પ્રેમનાથે આ ફિલ્મમાં રતન ખત્રીનું પાત્ર ભજવેલ : રતન ખત્રી કેવા ઇમાનદાર હતા તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલ : જીવ આપ્યો પણ ઇમાનદારી છોડી ન હતી

