By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કૃદરતના કહેર વચ્ચે માનવી લાચાર, રાજ્યમાં કોરોના, વાતાવરણમાં પલટો, વરસાદ અને હવે પછી આવશે આ મુસીબત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કૃદરતના કહેર વચ્ચે માનવી લાચાર, રાજ્યમાં કોરોના, વાતાવરણમાં પલટો, વરસાદ અને હવે પછી આવશે આ મુસીબત
AhmedabadGeneralGujarat Now

કૃદરતના કહેર વચ્ચે માનવી લાચાર, રાજ્યમાં કોરોના, વાતાવરણમાં પલટો, વરસાદ અને હવે પછી આવશે આ મુસીબત

HM News
Last updated: 26/03/2020 6:37 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોનાએ આખા વિશ્વને હચમચાવી મૂકી દીધું છે. હાલમાં જ્યાં જોવ ત્યાં બસ કોરોના જ કોરોના સંભળાય રહ્યું છે. પરંતુ એ વચ્ચે ગુજરાત માથે બીજુ સંકટ તોળાઈ રહ્યું છે. કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનથી વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદરૂપી આફત આવવાની તૈયારી છે. રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્લુલેશનની અસરને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે આગામી 48 કલાક સુધી રાજ્યમાં વાદળછાંયુ વાતાવરણ બની રહેશે.

ગુજરાતના વાતાવરણમાં પલટાની સાથે અનેક વિસ્તારોમાં થન્ડરસ્ટોમ સાથે વીજળી અને ભારે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના રહેલી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, દાહોદ, જૂનાગઢ તેમજ સુરતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, 25થી 27 માર્ચ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

26 માર્ચના રોજ કચ્છને બાદ કરતા રાજ્યમાં એક બે જગ્યા પર વરસાદ પડી શકે છે. જ્યારે 27 માર્ચના રોજ રાજ્યમાં કચ્છને બાદ કરતા અન્ય જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. 28 માર્ચના રોજ રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. જ્યારે 29મી માર્ચના રોજ આખા રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના રહેલી છે.

કોરોનાના કાળા કહેર વચ્ચે આવી આગાહી લોકોને રાતે પાણીએ રોવડાવે એવું લાગે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરવાના કારણે લોકોમાં પણ ચિંતા જોવા મળી હતી. 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ એવી પણ શક્યતા છે. 25થી 27 માર્ચ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સાથે સાથે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.

ગુજરાતમાં ઊંધીયુ તો બીજા રાજ્યમાં મકરસંક્રાતિ પર શું છે લોકપ્રિય ? જાણો બીજા રાજ્યની રસપ્રદ વાનગી
વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસામાં ધકેલતી નર્મદા એલ.સી.બી.
પારડીથી થર્ટી ફર્સ્ટ ઉજવવા દારૂ લઈ જતાં સાત કિન્નરોને પોલીસે ઝડપયા
​​​​​​​ડાંગ જિલ્લાના વડા મથક આહવા ખાતે ભારતીય જનતા પાર્ટીની સમીક્ષા બેઠક યોજાઇ
Facebook નો રાજનીતિક ધંધો! શિવસેનાનો ભાજપ પર મોટો આરોપ
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાના ખતરા વચ્ચે રાજ્ય સરકારે જાહેર કર્યો એક વોટ્સએપ હેલ્પલાઈન નંબર, માત્ર નમસ્તે લખો અને…!
Next Article બુધવારે વધુ ૪ પોઝિટિવ કેસ સાથે ગુજરાતમાં કોરોનાના ૩૯ કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up