By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કેટલીક બેંકની બેદકારીના કારણે આવાસ યોજનાના લાભાર્થીઓને નથી મળતી સબસીડી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > કેટલીક બેંકની બેદકારીના કારણે આવાસ યોજનાના લાભાર્થીઓને નથી મળતી સબસીડી
GeneralSurat

કેટલીક બેંકની બેદકારીના કારણે આવાસ યોજનાના લાભાર્થીઓને નથી મળતી સબસીડી

HM News
Last updated: 24/05/2022 6:40 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : તા.23 મે 2022,સોમવાર : સુરત મ્યુનિ.વિસ્તારમાં વિવિધ યોજના હેઠળ આવાસના લાભાર્થીઓને કેટલીક બેંકની આળસના કારણે સરકારની સબસીડી મળતી નથી.સબસીડી મેળવવા માટે લાભાર્થીઓને ધરમ ધક્કા ખાવો પડી રહ્યાં છે.સરકારી તંત્ર લાભાર્થીઓને સબસીડી આપવા માટે ચલક ચલાણીની રમત રમી રહ્યાં છે.જેના કારણે સરકારી સબસીડી મેળવી આવાસ મેળવનારાઓની હાલત કફોડી થઈ રહી છે. સબસીડીથી વંચિત લોકો અધિકારીઓ અને રાજકારણીઓની વચ્ચે પીસાઈ રહ્યાં હોવાથી તેઓ હવે આવાસ લઈને પસ્તાઈ રહ્યાં છે.સુરત મ્યુનિ.વિસ્તારમાં વિવિધ યોજના હેઠળ આવાસ યોજના બની રહી છે આ લાભાર્થીઓને સરકારની યોજના હેઠળ 2.65 લાખથી ત્રણ લાખ જેટલી સબસીડી આપવામા આવે છે.સરકારની સબસીડીના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લાભાર્થીઓને મોટી રાહત થઈ રહી છે.સરકાર દ્વારાસબસીડીની જાહેરાત કરવામાં આવી હોવાથી અનેક લોકોએ સબસીડીની ગણતરી કરીને સરકાર કે પાલિકાની યોજનાહેઠળ આવાસ લીધા છે.પાલિકાએ આવાસ ફાળવ્યા બાદ લોનની પ્રક્રિયા હાથ ધરવામા આવે છે. મોટા ભાગના લાભાર્થીઓને લોન સાથે સબસીડી મળી જતાં તેઓના વ્યાજ અને હપ્તામાં રાહત થઈ છે.

જોકે,કેટલીક બેંક દ્વારા સબસીડી આપવામા અખાડા કરવામાં આવી રહ્યાં છે.બેંક દ્વારા સબસીડી માટે ઉડાઉ જવાબ આપીને લાભાર્થીઓને પાલિકા મોકલવામાં આવે છે.પાલિકામાંથી અધિકારી અને પદાધિકારીને રજુઆત બાદ તેઓને કલેક્ટર કચેરી મોકલવામા આવે છે.આમ યોજના હેઠળ સબસીડી મેળવવા માટે ધરમ ધક્કા ખાવા પડી રહ્યાં છે.આવા અનેક લાભાર્થીઓને સબસીડી આપવામા લાભાથીઓએ સરકારની આવીન હોવાથી તેઓએ પુરી૨કમનું વ્યાજ હાલ ભરવુંપડી રહ્યું છે.સબસીડીથી ચિત લાભાર્થીઓને પુરા પૈસા ભરવાનું આવતાં તેઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ રહી છે.સબર્સીડીના ભરોસે આવાસ લઈને હવે કેટલાક લાભાર્થીઓ પસ્તાઈ રહ્યાં છે.સરકાર દ્વારા સબસીડી આપે છે અને તેના માટે લાભાર્થીઓ પુરા પુરાવા આપતાં હોવા છતાં ગ્રાન્ટ નથી કે અન્ય ક્વેરી કાઢીને સબસીડી આપવામાં ન આવતાં હવે લાભાર્થીઓ આવાસ લઈને પસ્તાઈ રહ્યાં છે.આવા લાભાર્થીઓ દરેક જગ્યાએ રજુઆત કરીને સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી તાકીદે મળે તેવી માંગણી કરી રહ્યા છે.

ભારતના આ શહેરમાં રોડ કિનારે પાન-મસાલા અને સમોસા વેચતા 256 લોકો નીકળ્યા કરોડપતિ!
દેશના સૌથી ધનિક મંદિરોમાં ગણાતા શ્રી પદ્મનાભસ્વામી મંદિરનો વહીવટ ત્રાવણકોર પરિવારને સોંપાશે: સુપ્રીમકોર્ટ
કડોદરાના અંત્રોલીમાં બુકાનીધારી લૂંટારુ ત્રાટક્યા, ગ્રામજનો જાગી જતાં પથ્થરમારો કર્યો
સુરતમાં મેટાસ સ્કૂલ એડમિશનના નામે ડોનેશન ઉઘરાવતાં મામલો કલેક્ટર કચેરીએ પહોંચ્યો
વાંસદા તાલુકામાં 2 વર્ષથી કાયમી TDO અને મામલતદાર વગર લોકોને ધરમ ધક્કા
Share This Article
Facebook Email Print
Previous Article સુરત : અનવર નગર વસાહત ડિમોલિશનની કામગીરી આડે અવરોધ દુર થયો
Next Article સુરત : વેકેશનને કારણે પાલિકાના હરવા ફરવાના સ્થળ પર કીડિયારું ઊભરાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up