કોલકતાઃ કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ રાજયપ્રધાન દેવશ્રી ચૌધરીએ મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર મોટો હુમલો કરતા કહ્યું છે કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળને બાંગ્લાદેશમાં વિલય કરવા ઇચ્છે છે.આજ કારણ છે કે તે રાજયને ઇસ્લામિક સ્ટેટ બનાવવામાં લાગી ગયા છે.તેમણે બુધવારે રાત્રે ૧૨.૪૪ વાગ્યે ટવીટ કરીને આક્ષેપ કર્યો કે મમતાની તૃષ્ટીકરણ નીતિઓના કારણે બંગાળ દારૂગોળાના ઢગલા પર ઉભું છે.તેમણે કહ્યું કે જો રાજયને નહીં બચાવવામાં આવે તો મમતાદીદી તેને બાંગ્લાદેશ સાથે જોડી દેશે.એક ષડયંત્ર હેઠળ રોહિંગ્યા,બાંગ્લાદેશીઓ અને જેહાદીઓને રાજયમાં પોષવામાં આવી રહ્યા છે.કાશ્મીરથી માંડીને મ્યાંમાર સુધીના દેશદ્રોહી તત્વોને તૃણમૂલ કોંગ્રેસ આશરો આપી રહી છે.