By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં દેશભરના વેપારીઓનું શનિવારે બંધનું એલાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં દેશભરના વેપારીઓનું શનિવારે બંધનું એલાન
GeneralMumbai

કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં દેશભરના વેપારીઓનું શનિવારે બંધનું એલાન

HM News
Last updated: 15/07/2022 7:04 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલ જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનબ્રાન્ડેડ પેક અનાજમાં સમાવિષ્ટ ઘઉં,ચોખા,કઠોળ,લોટ જેવા વિવિધ આવશ્યક અનાજ પર પાંચ ટકા જીએસટીનો નિર્ણય લાગુ કરાયો છે.જેનાથી દેશભરના તમામ વેપારીઓમાં ઉગ્ર વિરોધ વ્યાપ્યો છે.આથી વિરોધ પ્રદર્શનના દેખાવ રુપે ૧૬મી જુલાઈએ વેપારીઓ એકદિવસીય પ્રતીક બંધ રાખશે.

અનબ્રાન્ડેડ પેક્ડ ફૂડ્સ પર પાંચ ટકા જીએસટીના નિર્ણયને કારણે પહેલેથી ઓનલાઈન અને ઈ-કોમર્સનો માર ખમતાં વેપારીઓનો વેપાર સંપૂર્ણ ખલાસ થઈ જવાનો ભય રહેલો છે.વળી સામાન્ય નાગરિકોને પણ તેનાથી મોંઘવારીનો સામનો કરવો પડશે અને નાના વેપારીઓનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જશે.આથી આ કાયદો રદ્દ કરવા વિવિધ વેપારી મંડળોએ વારંવાર કેન્દ્ર સરકાર અને નાણાપ્રધાનને વિનંતી કરી પરંતુ તેનો કોઈ પ્રતિસાદ ન મળતાં હવે પ્રતિકાત્મક બંધનું એલાન કરવામાં આવ્યું છે.

આજે ગ્રોમા હાઉસમાં લેવાયેલી બેઠકમાં ગ્રોમા,કેમીટ,ફામ,કૈટ,ગોળ મર્ચન્ટ્સ એસોસિએશન,એપીએમસી દાણાબજાર, મૂડીબજાર સહિત રાજ્યભરના વિવિધ વેપારી સંગઠનોએ ૧૬મી જુલાઈના ભારતમાં વેપાર બંધને સમર્થન આપ્યું છે.સરકારના આ નિર્ણયથી દેશભરની ૭૩૦૦ બજારો,૧૩ હજાર દાળમિલો,૯૬૦૦ જેટલી ચોખાની મિલો,૮૦૦૦ જેટલી લોટની મિલો સહિત ત્રણ હજાર જેટલાં નાના-મોટા વેપારીઓને માઠી અસર થશે.એકતરફ કેન્દ્ર સરકાર મોંઘવારી ઘટાડવાની વાત કરે છે,ત્યારે બીજી તરફ આવા નિર્ણયથી મોંઘવારી અને ઈન્સ્પેક્ટરરાજ વધશે અને વેપારી તેમજ ખેડૂતોને પણ તેની નબળી અસર થશે,એવું ગ્રોમાના પ્રમુખે જણાવ્યું હતું.

લોકડાઉન : અર્થતંત્ર ઉપર અસર અંગે રઘુરામ રાજન – અમર્ત્ય સેન – અભિજીત બેનર્જીના સૂચનો
મે વલણનો અંત : બેંકિંગ, મેટલ, આઈટી શેરોમાં શોર્ટ કવરિંગ
જનરલ બિપિન રાવત વિશે ગંદી કોમેન્ટ કરનારો અમરેલીનો આ નેતા કોણ છે ? હર્ષ સંઘવીને ટેગ કરેલી પોસ્ટ બદલ થયો જેલભેગો
આમાં ભાજપનો શું પ્લાન, એકનાથ શિંદેને શું મળશે ઈનામ
સંજય રાઉતે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લેતા રાજકીય ગરમાટ
Share This Article
Facebook Email Print
Previous Article પાલઘરમાં 13 શ્રમિક, ચંદ્રપુરમાં 22 ડ્રાઇવર ભક્તોને પૂરમાંથી ઉગારાયા
Next Article મહારાષ્ટ્રમાં પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 3 રુપિયાનો ભાવ ઘટાડો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up