નવી દિલ્હી, તા.૧૭: દેશમાં કોરોના કાળમાં આમઆદમીની સાથે સરકારની આવકને પણ ફટકો પડયો છે.સરકાર દ્વારા શર કરવામાં આવેલા અધિકૃત આંકડા પ્રમાણે તા.૧૫ ડિસે. સુધીના પ્રાપ્ત વેરા કનેકશનના આંકડા મુજબ કોર્પોરેટ ટેક્ષનું કુલ રૂ.૨.૨૬ લાખ કરોડનું કલેકશન થયું છે.જયારે વ્યકિતગત આવકવેરામાં સરકારને રૂ.૨.૫૭ લાખ કરોડ મળ્યો છે જે ૧૭.૬%નો ઘટાડો સૂચવે છે.
સામાન્ય રીતે વેરા વસુલાત દ્વારા સરકારની આવક નો અંદાજ લગાવવામાં આવતો હોય છે ત્યારે કોરોના કાળમાં સરકારની આવકમાં પણ ગાબડું પડી રહ્યું છે.ગત વર્ષે આ જ સમયગાળામાં સીધા કરવેરાની આવક જે રૂ.૬.૦૧ લાખ કરોડની હતી તે આ વર્ષે રૂ.૪.૯૫ લાખ કરોડની થઈ છે.સરકારના આ આંકડા પ્રાથમીક છે અને તેમાં થોડો સુધારો વધારો થઈ શકે છે. કોરોનાના કારણે આવેલા લોકડાઉન અને જે રીતે માંગમાં ઘટાડો થયો છે.આમ જનતામાં દરેકના વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા છે જેથી લોકોની આવક દ્યટી હોય વિરોધ કરનારા લોકોની સંખ્યામાં જબરો દ્યટાડો થયો છે.જેથી સરકારની વેરા આવક દ્યટી છે. સરકારના જ આંકડા મુજબ રાજકોષીય ખાધ વધીને રૂ.૯.૧૪ લાખ કરોડની થઈ છે જે બજેટ અંદાજના ૧૧૪.૮ થઈ છે.સરકારના માર્ચ ૨૦૨૧ વર્ષના અંતમાં બજેટ અંદાજમાં લક્ષ્યાંક હાંસલ કરી શકાશે નહી તે નિશ્ચિત છે.