છેલ્લા ઘણાજ સમય થી ટ્વિટર ઉપર ભાજપ ને નિશાન બનાવી રહેલા રાહુલ ગાંધી અને કેન્દ્ર સરકાર વચ્ચે ગરમા ગરમી ચાલી રહી છે ત્યારે આ બધા વચ્ચે હવે સરકારે ગાંધી પરિવાર અને ટ્રસ્ટો ની તપાસ ના આદેશ આપતા રાજકીય માહોલ ગરમાયો છે અગાઉ પ્રિયંકા ગાંધી ને પણ દિલ્હી માં સરકારી બંગલો ખાલી કરી દેવાના આદેશ અપાયા બાદ હરિયાણા સરકારે ગાંધી-નહેરૂ પરિવારની સંપત્તિઓની તપાસનો આદેશ આપતા કોંગીજનો માં આ મેટર ભારે ચર્ચાસ્પદ બની છે, રાજ્યના મુખ્ય સચિવ કેશની આનંદ અરોરાની તરફથી હરિયાણાના અર્બન લોકલ બોડિસ ડિપાર્ટમેન્ટને સંપત્તિઓની તપાસ કરવાના આદેશ આપ્યા છે.2005 થી 2010ની વચ્ચે નહેરૂ-ગાંધી પરિવારના નામ પર હરિયાણામાં એકત્ર કરાયેલી સંપત્તિ મામલે કેટલાક આરોપો છે તે બાબતે પણ કાયદેસર તપાસ થશે.હરિયાણામાં 2005 થી 2014ની વચ્ચે ભુપેન્દ્ર સિંહ હુડ્ડાની જ સરકાર હતી તે દરમ્યાન કોંગ્રેસના કેટલાય ટ્રસ્ટ અને ગાંધી-નહેરૂ પરિવાર માટે કેટલીક સંપત્તિઓ એકત્ર કરાઈ હોવાનું કહેવાય છે,જોકે કેટલીક સપત્તિઓની તપાસ અગાઉ થી જ ચાલી રહી હતી.
કેન્દ્ર સરકાર વતી હરિયાણા સરકારને રાજીવ ગાંધી ફાઉન્ડેશન,રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ સાથે સંકળાયેલ સંપત્તિઓની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી દાન આપ્યાના અહેવાલો બાદ કેન્દ્ર સરકારે ગાંધી-નહેરુ પરિવાર સાથે સંકળાયેલા ટ્રસ્ટ અને ફાઉન્ડેશનની તપાસના આદેશ આપ્યા છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસ થવાની છે.તેના માટે એક સમિતિ બનાવી દેવામાં આવી છે.
આ કમિટી રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસ કરશે,જેમાં મની લોન્ડ્રિંગ અને વિદેશી દાન સહિતના ઘણા કાયદાઓના કથિત ઉલ્લંઘનના કેસોની તપાસ કરવામાં આવશે.ગૃહ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર,ટીમનું નેતૃત્વ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના એક વિશેષ નિયામક કરશે. જોકે,
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગાંધી-નહેરુ પરિવાર સાથે સંકળાયેલા ટ્રસ્ટની તપાસ બાબતે પોતાની પ્રતિક્રિયા માં જણાવ્યું કે પીએમ મોદીને લાગે છે કે દરેક ને ખરીદી શકાય છે અને તેમનું મૂલ્ય છે અથવા તેમને ડરાવી શકાય છે પરંતુતેઓ ક્યારેય સમજી શકશે નહીં કે સત્ય માટે લડનારાઓને ખરીદી કે ધમકાવી શકાતા નથી આમ હવે આ પ્રકરણમાં રાજકીય ગરમાટો આવ્યો છે અને દેશમાં ચર્ચા ઉઠી છે.