મુંબઈ, તા.૧૦ : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ રવિ શાસ્ત્રીએ કેપ્ટન તરીકે જાડેજાને પાણીમાંથી બહાર કાઢેલી માછલીની સાથે સરખાવ્યો હતો.શાસ્ત્રીએ કહ્યું કે, જાડેજામાં કેપ્ટન તરીકેની નૈસર્ગિક પ્રતિભા નથી.તેણે અગાઉ કોઈ પણ સ્તરે કેપ્ટન્સી કરી નહતી.અચાનક જ આટલી મોટી જવાબદારી તેના માથે નાંખી દેવામાં આવી તે તેને ભારે પડયું હતુ.
શાસ્ત્રીએ ઈએસપીએલક્રિકઈન્ફોના કાર્યક્રમમાં કહ્યું કે, લોકો ભલે જાડેજાનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરતાં હોય પણ તેમાં તેની કોઈ ભૂલ નથી.તેની હાલત પાણીમાંથી બહાર કાઢેલી માછલી જેવી હતી.તે સાવ અલગ જ સ્થાન પર હોય તેવું લાગતું હતુ.કેપ્ટન્સીના ભારણને કારણે તે એક ખેલાડી તરીકે પણ ટીમમાં પોતાની ભૂમિકા ભજવી શકતો નહતો.તે વિશ્વનો ટોચનો ઓલરાઉન્ડર છે, પણ આઇપીએલમાં તેવું જોવા મળ્યું નહતુ.
જાડેજાની કેપ્ટન્સીના મામલે શાસ્ત્રીએ ઊમેર્યુ કે, ચેન્નાઈને પણ જાડેજાને કેપ્ટન બનાવવાનું ભારે પડયું હતુ.શરૃઆતની કેટલીક મેચો તો તેઓ આ જ કારણે હાર્યા હતા.આખરે જો તેમણે જાડેજાને બદલે ધોનીને ફરી કેપ્ટન બનાવવાનો નિર્ણય વહેલો લીધો હોય તો તેઓ પ્લે ઓફની રેસમાં સામેલ હોત.હવે તેમણે આવતા વર્ષના મિની ઓક્શનની રાહ જોવી પડશે, અને તેમાં કોઈ દિગ્ગજ પ્લેયરને ખરીદીને કેપ્ટન્સી સોંપવી જોઈએ.