By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કેરળ સોનાની દાણચોરી મામલે હવે NIA કરશે તપાસ, સ્વપ્ના સુરેશે માંગ્યા આગોતરા જામીન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કેરળ સોનાની દાણચોરી મામલે હવે NIA કરશે તપાસ, સ્વપ્ના સુરેશે માંગ્યા આગોતરા જામીન
GeneralNational

કેરળ સોનાની દાણચોરી મામલે હવે NIA કરશે તપાસ, સ્વપ્ના સુરેશે માંગ્યા આગોતરા જામીન

HM News
Last updated: 10/07/2020 8:30 AM
HM News
5 years ago
Share
SHARE

કેરળના થિરૂવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે પકડાયેલી સોનાની દાણચોરીના કેસની રાષ્ટ્રીય સુરક્ષા પર અસર પડી શકે એમ હોવાથી ગૃહ મંત્રાલયે આ કેસની તપાસ NIA ને સોંપી છે.

30 કરોડના સોનાની દાણચોરીનો કેસ

કેરળના મુખ્યમંત્રી પિનારાઇ વિજયને ડિપ્લોમેટિક બેગેજમાંથી રૂપિયા 30 કરોડના સોનાની દાણચોરીના કેસની અસરકારક તપાસ માટે વડા પ્રધાનને મધ્યસ્થી કરવા લખેલા પત્રના બીજા દિવસે આ નિર્ણય લેવાયો હતો.દરમિયાન કેરળ દાણચોરી કેસમાં કસ્ટમ વિભાગે જેને હિત ધરાવતી વ્યક્તિ ગણી હતી તે સ્વપ્ના સુરેશે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી.

સ્વપ્ના સુરેશે માંગ્યા આગોતરા જામીન

પોતે આ કેસમાં બિલકુલ નિર્દોષ છે અને દાણચોરીમાં કોઇ જ ભૂમિકા નથી અને પોતે મીડિયા ટ્રાયલનો સામનો કરી રહી છે એવો સ્વપ્નાએ દાવો કર્યો હતો. કેરળ હાઇકોર્ટમાં ઓનલાઇન કરેલી અરજીમાં સપના સુરેશે કહ્યું હતું કે તેણે કેરળમાં યુએઇ મિશન ખાતે કાર્યકારી કોન્સ્યુલેટ જનરલ તરફથી સુચના મળતાં કન્સાઇનમેન્ટને કસ્ટમમાં ચેક કર્યો હતો.

સપના સહીત અન્ય એક અધિકારી પદથી દૂર કરાયા

ઉલ્લેખનીય છે કે કેરળ સરકારના ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ સાથે સંલગ્ન એક કંપની માટે તે માર્કેટિંગ ઓફિસર તરીકે કામ કરે છે અને તેની પહેલાં યુએઇમાં ભારતીય મિશનમાં કામ કરી ચૂકી હતી.આ કેસનો ઘટસ્ફોટ થતાં મુખ્યમંત્રી વિજયને તાત્કાલિક અસરથી સપના અને એક વરિષ્ઠ આઇએએસ અધિકારીને અગ્ર સચિવની પોસ્ટ પરથી દૂર કર્યા હતા.

NIA ને તપાસ સોંપવામાં આવી

દરમિયાન ગૃહ મંત્રાલયના એક પ્રવકતાએ કહ્યું હતું કે થિરૂવનંતપુરમ સોનાની દાણચોરી કેસની તપાસ કરવા ગૃહ મંત્રાલયે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ)ને એટલા માટે સોંપી હતી કે આવી સંગઠીત દાણચોરીની દેશની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે.આશરે 30 કિલોના આ સોનાને થિરૂવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એક ડિપ્લોમેટિક બેેગમાંથી કબજે કરાયો હતો.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી ઉપર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા
16 વર્ષીય ભારતીય ગ્રાન્ડ માસ્ટર પ્રાગનનંદાએ વર્લ્ડ નંબર-1 ચેસ માસ્ટરને આપી માત
ભારતમાં બનાવી રહ્યાં હતા ISISનું સહયોગી સંગઠન, NIA કોર્ટે 15 આતંકીઓને ફટકારી સજા
હિંમતનગરમાં રોડ કોન્ટ્રાક્ટરને ત્યાં ઈન્ક્મટેક્ષ વિભાગના દરોડા ! સત્ય અંધકારમય
ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપી પોલીસ અધિકારીઓ હજુ પકડથી દૂર
Share This Article
Facebook Email Print
Previous Article PNBને હવે લાગ્યો 3688 કરોડનો ચૂનો, DHFLને આપેલી લોનને છેતરપિંડી તરીકે જાહેર કરી
Next Article કોરોનાની સારવારમાં રામબાણ ઇલાજ એવા ટોસિલિઝૂમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનની ગુજરાતમાં અછત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up