By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોંગેસની હિન્દુ વિરોધી ધાર્મિક વિચારધારા પર ‘તોગડિયા’ ના અંદાજમાં નીતિન પટેલે પ્રહાર કર્યા,કહ્યું કે તૈમુર લંગ નહીં લંગડો હતો !
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોંગેસની હિન્દુ વિરોધી ધાર્મિક વિચારધારા પર ‘તોગડિયા’ ના અંદાજમાં નીતિન પટેલે પ્રહાર કર્યા,કહ્યું કે તૈમુર લંગ નહીં લંગડો હતો !
GeneralGujarat NowPolitics

કોંગેસની હિન્દુ વિરોધી ધાર્મિક વિચારધારા પર ‘તોગડિયા’ ના અંદાજમાં નીતિન પટેલે પ્રહાર કર્યા,કહ્યું કે તૈમુર લંગ નહીં લંગડો હતો !

HM News
Last updated: 20/02/2021 9:50 AM
HM News
4 years ago
Share
SHARE

– ગૌ હત્યારાઓ,કસાઈઓ,ગૂન્ડા,મવાલી,બૂટલેગરોને કોંગ્રેસ એટલા માટે હાથ લગાડતી ન્હોતી કે હિન્દુઓનું થવું હોય તે થાય,એમની વોટ બેન્ક નારાજ ના થવી જોઈએ!

– તૈમૂર,હૂમાયુથી લઈ બાબર સુધીની ઔલાદો હિન્દુસ્તાની હતી જ નહીં

અમદાવાદ તા.19 : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલે બાપુનગરમાં જાહેર સભા સંબોધી હતી.પોતાના સંબોધન દરમિયાન તેમણે તૈમુર લંગ વિશે પણ નિવેદન આપ્યું હતું.ફાયર બ્રાન્ડ નેતા પ્રવીણ તોગડિયાની યાદ અપાવતા ભાષણમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે તાજ મહેલ બનાયો આપણને વાંધો નથી.બાબરી મસ્જીદ બીજે બનાવી હોત તો આપણને વાંધો નહોતો.સેંકડો મસ્જીદો છે આપણને વાંધો નથી.આ વિધર્મીઓને એમના શીખવાડતા હતા,પરદેશથી આવેલા આ તો બધા અફઘાનિસ્તાનીઓ હતા.તૈમુરને લંગ જ કહેવાનું.તૈમુર લંગડો જ હતો.કોઇ તૈમુર એકલું ન બોલવાનું.તૈમુર લંગડો જ હતો.એના બધા લંગડા જ હોય છે.આ તૈમુર લંગથી માંડીને હુમાયુ,બાબર જે આયા એ બધા પછી તેની ઓલાદો આવી એ કોઇ ભારતીય નથી.એના ડીએનએનો ટેસ્ટ કરો તો હજુ અફઘાનિસ્તાન નિકળશે.

ક્યાંક ક્યાંક ભડકા કર્યા જ કરે છે.ક્યાંક પીક્ચર બનાવીને ભડકો કરે ક્યાંક ગીત બનાવીને ભડકો કરે.એવું કરીને હિંદુઓની લાગણી દુભાય આ બધુ એમને શીખવાડેલું છે.હિંદુઓને માનસિક રીતે અપસેટ કરવા હોય તો હિંદુઓના રજવાડા પડાવી લેવાથી નઇ ચાલે,ભગવાનનાં પ્રતિક છે સોમનાથ મંદિર હોય કે રામ મંદિર હોય કે બીજા મંદિરો હોય તે બધા તોડો તો આખા દેશના હિંદુઓ ગભરાઇ જશે.કમનસીબે આપણા હજારો રજવાડાઓમાં વહેંચાઇ ગયેલા હિંદુઓ હતા એટલે કશુ કરી શક્યા નહી.તેમણે જુઓ શોધી શોધીને કામ કર્યું.ભગવાન સોમનાથ મહાદેવનું મંદિર 17 વખત તોડ્યું.માત્ર લૂંટ જ ન કરી મંદિર પણ તોડ્યું અને હિંદુઓના આસ્થા સ્થાન પર કુઠારાઘાત કરો.એટલે જ ભગવાન સોમનાથનું મંદિર તોડ્યું. ભગવાન રામની પવિત્ર જગ્યાને ભ્રષ્ટ કરી. કૃષ્ણ ભગવાનનું જન્મ સ્થળ છે તે ભ્રષ્ટ કર્યું.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલે બાપુનગર અને ગોતામાં જાહેર સભા સંબોધી હતી.જો કે,આ સભામાં તેઓનું મુખ્ય ફોકસ હિંદુ-મુસ્લિમોના મુદ્દા પર રહ્યું હતું.કોંગ્રેસ પોતાની મતબેંકની રાજનીતિ કરતી હતી. અમુક વર્ગને નારાજ કરીએ તો તે આપણને મત ન આપે અને ભાજપ જીતી જાય.માટે કોંગ્રેસ હિંદુઓનું જે થવું હોય એ થાય,રથયાત્રા નિકળવી હોય તો નિકળે,ભારતીય સંસ્કૃતિનું જે થવું હોય તે થાય પણ અમારી વોટ બેંક નારાજ ના થવી જોઇએ.

ગૌહત્યા કરનારા કરે,કસાઇઓ ખુલ્લેઆમ ફરે.ગુંડાઓ,માફિયાઓ,બુટલેગરો ખુલ્લેઆમ ફરે પણ કોંગ્રેસની સરકાર એમને હાથ અડાડતી નહોતી.કોંગ્રેસને ખબર પડતી એવું નઇ પણ તેને આપણા કરતા ડબલ પડતી હતી.એક ખબર એ પડતી હતી કે આ ગુંડા છે માફિયા છે બુટલેગર છે.પણ તરત બીજી ખબર પડતી કે આમને પકડીશું તો આ વિસ્તારમાંથી આપણા મત જતા રહેશે. મત જવાની બીકે 1995 સુધી કોંગ્રેસે ગુંડા,માફીયાઓને,ગાયો ઉપાડી જતા,મંદિરો પર હુમલા કરતા,આપણી બહેન દીકરીઓને જાહેરમાં,બસોમાં ખુલ્લેઆમ છેડતી કરતા તેને કોઇ રોકી શકતું નહોતું તેને પાળ્યાં. તેના પર 1995થી બ્રેક વાગી ગઇ.માત્ર અમદાવાદ નહી વડોદરામાં પણ આવું હતું.વડોદરામાં પણ ગણેશ ચતુર્થી,નરસિંહજીનો વરઘોડો નીકળે આ બધુ થઇ શકતું નહોતું. આ બધો સપાટો બોલાવવાનું કામ ભાજપે કર્યું છે.

અમે હવે લવ જેહાદનો કાયદો લાવવા જઇ રહ્યા છીએ.આપણી દીકરીઓને નામ બદલીને ભોળવીને લઇ જતા બીજા જ્ઞાતિ અને ધર્મના લોકો વિરુદ્ધ કડક પગલા લઇશું.આપણી દીકરીઓ સાથે હિંદુ બનીને ભોળવીને લઇ જાય,ઘરે ખાવાનાય ફાંફા હોય પણ કોકની માંગી મોટર સાયકલ કે રિપેરિંગમાં આવેલી ગાડી લઇને ફરવા નીકળે. પેટ્રોલના પૈસા બીજા કોકે આપ્યા હોય અને આપણી દીકરીઓ પર વટ પાડે.જો કમનસીબે આપણી દીકરી તેની માયાજાળ માં ફસાઇ જાય અને ધર્મ પરિવર્તન કરે તો આખા સમાજમાં ખૂબ જ ખરાબ અસર પડે.આવા લોકોને ડામવા માટે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર લવ જેહાદનો કાયદો લાવવાનું પણ અમે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છીએ.

અમેરિકા અને વિશ્વના અન્ય દેશો માટે ચીન એક મોટો ખતરો છે : US ઇન્ટેલિજન્સ ડિરેક્ટર
બીજેપી અધ્યક્ષ જે.પી.નડ્ડાને રિસીવ કરવા ગયેલા કાર્યકરનું પર્સ ચોરી
ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ તરીકે ઇસુદાન ગઢવીએ ચાર્જ સંભાળ્યો
રાજ્યના ચાર મહાનગરોમાં લાગુ રાત્રિ કર્ફ્યૂમાં 31 જાન્યુઆરી બાદ તબક્કાવાર છૂટછાટ મળી શકે, ગૃહ રાજ્યમંત્રીનો સંકેત
નાગપુરના કલંક પર ભાજપે આરંભ્યુ જુતામાર આંદોલન
Share This Article
Facebook Email Print
Previous Article બોગસ દસ્તાવેજોથી બાંગ્લાદેશી બની ગયો ભાજપના લઘુમતી મોરચાનો અધ્યક્ષ !
Next Article વડોદરામાં ભાજપના ડોન મધુ શ્રીવાસ્તવે પોલીસ અને કલેક્ટરને તો હું ખિસ્સામાં રાખું છું શું તે નિવદેન સાચું છે ? DGP આશિષ ભાટિયાએ મિડિયા ક્ષમક્ષ કહ્યું પોલીસ મધુ શ્રીવાસ્તવ સામે કાર્યવાહી નહિ કરે !!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up