નેતાનું શુદ્ધિકરણ: કોંગ્રેસમાં હતા ત્યારે ગરીબોનું રાશન હડપી લેવાનો આરોપ લગાવતા, ભાજપ સરકારમાં આવતા જ ખાદ્યમંત્રી બનાવ્યા !

HM News
2 Min Read

ભોપાલ : શિવરાજ સિંહ ચૌહાણના મંત્રીમંડળ વિસ્તાર પછી આજે મંત્રીઓના વિભાગોની વહેચણી પર કરી દેવામાં આવી હતી.કોંગ્રેસમાંથી દળ બદલીને બીજેપીમાં સામેલ થયેલા મંત્રી બિસાહુલાલ સિંહને મળેલ વિભાગ હવે ચર્ચામાં આવી ગયું છે.તેમને ખાદ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.કમલનાથ સરકાર સમયે તેમની ઉપર ગરીબોના હકનું રાશન લેવાનો આરોપ લાગ્યો હતો.

કમલનાથ સરકાર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય રહેલા બિસાહુલાલ સિંહ પર ગરીબોનું રાશન લઈ લેવાનો આરોપ લાગ્યો હતો. એક આરટીઆઈ એક્ટિવિસ્ટે કોંગ્રેસ ધારાસભ્ય બિસાહુલાલ સિંહ અને તેમના પરિવાર પર અન્નપૂર્ણા યોજના અંતર્ગત બીપીએલ પરિવારોને એક રૂપિયા કિલોના હિસાબે મળનાર ઘઉં અને ચોખા લેવાનો આરોપ લગાવ્યો હતો.આરટીઆઈ દ્વારા જે જાણકારી મળી હતી તે પ્રમાણે બિસાહુલાલ સિંહ 2013થી ગરીબોનું રાશન લઈ રહ્યા હતા.જોકે આ આરોપ પર બિસાહુલાલ સિંહે કહ્યું હતું કે તેમનો પરિવાર આર્થિક રીતે સક્ષમ છે.ગરીબી રેખા નીચે રહેતા લોકોના ભાગનું રાશન ક્યારેય લીધું નથી.

આજે જ્યારે બિસાહુલાલ સિંહને ખાદ્ય મંત્રી બનાવ્યા તો કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા.કોંગ્રેસ મીડિયા વિભાગના ઉપાધ્યક્ષ ભુપેન્દ્ર ગુપ્તાએ સરકારને સવાલ કર્યો હતો કે જ્યારે બિસાહુલાલ અમારા ધારાસભ્ય હતા ત્યારે તમે તેની ઉપર બીપીએલનું રાશન લેવાનો આરોપ લગાવ્યો હતો.તેમના રેશન કાર્ડ બતાવ્યા હતા તો હવે કેબિનેટમાં તેમને ખાદ્ય મંત્રી કેમ બનાવી દીધા? લોકતંત્ર લોક લાજથી ચાલે છે ઉત્તર આપજો.

ઉલ્લેખનીય છે કે કમલનાથ સરકારમાં મંત્રી ન બનાવતા બિસાહુલાલ સિંહ નારાજ હતા.તેમણે સિંધિયા સમર્થકો સાથે દળ બદલીને બીજેપી જોઈન કરી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *