By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોંગ્રેસના વિવાદ બાદ અમદાવાદ એરપોર્ટનું બોર્ડ બદલાયું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કોંગ્રેસના વિવાદ બાદ અમદાવાદ એરપોર્ટનું બોર્ડ બદલાયું
AhmedabadGeneral

કોંગ્રેસના વિવાદ બાદ અમદાવાદ એરપોર્ટનું બોર્ડ બદલાયું

HM News
Last updated: 14/12/2020 7:15 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ કર્યા બાદ અમદાવાદ એરપોર્ટમાંથી ‘સરદાર વલ્લભભાઇ પટેલ’ નામ દૂર કરી દેવામાં આવ્યું હતું.આ મુદ્દાને લઈને કોંગ્રેસ આકરા પાણીએ જતા મામલો ગરમાયો હતો.જોકે,કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આ આક્ષેપ બાદ ફરી એકવાર આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકાયું છે.કોંગ્રેસના વિવાદ બાદ અમદાવાદ એરપોર્ટ પર બોર્ડ બદલવામાં આવ્યું છે.અમદાવાદ એરપોર્ટ પર સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટમાં સ્વાગતનું બોર્ડને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. બોર્ડ બદલતા કોંગ્રેસે આરોપ પ્રતિઆરોપ કર્યા હતા પરંતુ અચાનક આજે સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદ એરપોર્ટના બોર્ડનો વિવાદ બાદ હવે સરહાનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.અમદાવાદ એરપોર્ટનું સંચાલન કરતી અદાણીએ પોતાના બોર્ડ હટાવ્યા હતા,અને સરદાર વલ્લભાઈ પટેલ એરપોર્ટમાં આપનું સ્વાગત છે તે સ્લોગન સાથે બોર્ડ લગાવી દીધું છે.

તમને જણાવી દઈએ કે,અમદાવાદ એરપોર્ટ અદાણીના હાથમાં આવ્યા બાદ સરદાર પટેલનું નામ બદલીને ‘અમદાવાદ એરપોર્ટમાં સ્વાગત છે’ એવું લખ્યું હતું. પરંતુ ભારે વાદવિવાદ થતાં નવા બોર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમા સ્વાગત લખ્યું છે.ગુજરાત અમદાવાદ એરપોર્ટના બોર્ડમાં થયેલા ફેરફારને લઈને સતાપક્ષ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા..

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના એક નેતાએ સોશિયલ મીડિયામાં અમદાવાદ એરપોર્ટ બહારના એવા હોર્ડિંગનો ફોટો શેર કર્યો હતો. જેમાં લખાણ હતું કે, ‘અમદાવાદમાં આપનું સ્વાગત છે.’ અમદાવાદ એરપોર્ટનું જેમના પરથી નામકરણ કરવામાં આવ્યું છે તેવા સરદાર વલ્લભભાઇ પટેલનું નામ જ નહીં હોવાથી સોશિયલ મીડિયામાં ચર્ચાએ વેગ પકડયો હતો.

ત્યારબાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ એવી ટ્વિટ કરી હતી કે, ‘સરદાર પટેલના નામ પર ફક્ત રાજકારણ ખેલનારી ભ્રષ્ટ ભાજપ સરકારે પોતાના ઉદ્યોગપતિ મિત્રને ખુશ કરવા અમદાવાદ એરપોર્ટથી સરદાર વલ્લભભાઇ પટેલનું નામ હટાવી અદાણી એરપોર્ટ કરી દીધું છે.

સરકારી બાબુઓની દારૂ પાર્ટી:​​​​​​​અરવલ્લીમાં થર્ટી ફર્સ્ટે દારૂની મહેફિલ માણતા બે નાયબ મામલતદાર ઝડપાયા, મહેસુલ મંત્રીએ આપ્યા ખાતાકીય તપાસના આદેશ
પત્ની સાથે શરીર સંબધં રાખનાર ૧૪ પુરુષોને પતિએ લિગલ નોટિસ ફટકારી : ૧૦૦ કરોડનું વળતર માગ્યું
શાહરૂખ ખાન 15 એપ્રિલથી રાજ કુમાર હિરાનીની ફિલ્મનું શૂટીંગ શરૂ કરશે
યમનના હૂતી વિદ્રોહીઓએ આ રીતે ‘ઇઝરાઇલી જહાજ’ કર્યું હાઇજેક : જુઓ વિડિઓ
પાક. સાથેના સબંધો મર્યાદિત, ભારત જ અમારું વિશ્વાસુ સાથીદાર : રશિયા
Share This Article
Facebook Email Print
Previous Article નાઇજીરિયાની સ્કૂલ પર હુમલો, ૪૦૦ બાળકોનું અપહરણ
Next Article લલ્લુજી એન્ડ સન્સે જુનાગઢના મીની કુંભમેળામાં ટેન્ટ સીટી બનાવી રૂ. ૧.૮૭ કરોડ કટકો કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up