By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોંગ્રેસ અમને રાજધર્મનો બોધપાઠ ના આપે, સોનિયા ગાંધીનો રેકોર્ડ આંટીઘૂંટીવાળો છે : પ્રસાદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોંગ્રેસ અમને રાજધર્મનો બોધપાઠ ના આપે, સોનિયા ગાંધીનો રેકોર્ડ આંટીઘૂંટીવાળો છે : પ્રસાદ
GeneralNational

કોંગ્રેસ અમને રાજધર્મનો બોધપાઠ ના આપે, સોનિયા ગાંધીનો રેકોર્ડ આંટીઘૂંટીવાળો છે : પ્રસાદ

HM News
Last updated: 28/02/2020 10:36 AM
HM News
5 years ago
Share
SHARE

કેન્દ્રીય કાયદા મંત્રીએ પલટવાર કરતા કહ્યું – સોનિયા ગાંધીનું આર યા પારની લડાઈનું નિવેદન ઉશ્કેણીજનક ના ગણાય

એજન્સી, નવી દિલ્હી

દિલ્હીમાં હિંસાને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા ભાજપ પર પ્રહાર કરાયા બાદ હવે ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના નેતા અને કેબિનેટ મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજધર્મ નિભાવવાના નિવેદનને લઈને જોરદાર પ્રહાર કર્યો છે. પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ મહેરબાની કરીને અમને રાજધર્મ વિશેનો બોધપાઠ ના આપે તેમની પોતાની કારકિર્દી આંટીઘૂંટી વાળી રહેલી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ સોનિયા ગાંધીના નેતૃત્વમાં રાષ્ટ્રપતિને મળ્યું હતું અને તેમણે દિલ્હી હિંસા મુદ્દે મેમોરેન્ડમ સોંપ્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માગ કરવામાં આવી હતી. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્રએ પોતાનો રાજધર્મ નિભાવવો જોઈએ તેવો ઉલ્લેખ પણ કર્યો હતો.

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું કે સરકાર હિંસાને અટકાવવા પહેલા દિવસથી જ સક્રિય છે. આ ઉપરાંત ભાજપના નેતા કપિલ મિશ્રા અને પ્રવેશ વર્માના ભડકાઉ નિવેદનો અંગે પૂછતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે પક્ષ આવા નિવેદનોને મંજૂરી આપતું નથી.

રવિ શંકરે સોનિયા ગાંદી પર પ્રહાર કરતા કહ્યું કે, ‘મહેરબાની કરીને અમને રાજધર્મની સલાહ ના આપો, તમારો રેકોર્ડ આંટીઘૂંટી વાળો રહેલો છે. એનપીઆરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, જો કોંગ્રેસ કંઈ કરે છે તો તે સારું છે પરંતુ જો અમે કરીએ તો તેઓ લોકોને ઉશ્કેરે છે. આ કેવા પ્રકારનો રાજધર્મ છે?’

ગત ડિસેમ્બરમાં સોનિયા ગાંધીએ દિલ્હીના રામ લીલા મેદાનમાં આર યા પારની લડાઈ એવું કહ્યું હતું. પ્રસાદે આ મુદ્દે કહ્યું કે, શું આવા નિવેદનો ઉશ્કેરણીજનક નથી. તેમણે વધુ કહ્યું કે, કોંગ્રેસ વોટ બેન્કની રાજનીતિ માટે ગમે તે સ્તર સુધી નીચે જઈ શકે છે. દેશમાં શાંતિ અને એખલાસ જળવાઈ રહે તે માટે કોંગ્રેસ જવાબદાર પક્ષ તરીકે વર્તવું જોઈએ તેમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું.

શું દીપિકા પણ છે નેશેડી ? ડ્રગ્સ કેસમાં દીપિક પાદુકોણનું નામ, ફિલ્મ ઇન્ડ. ના રૂ.600 કરોડ દાવ પર લાગ્યા
દેશના પ્રથમ સમલૈંગિક ( ગે ) જજ હશે સૌરભ કૃપાલ, SC કોલેજિયમે આપી મંજૂરી
1984 : શીખ-વિરોધી રમખાણોના એક શંકાસ્પદ જગદીશ ટાઈટલર દિલ્હી કોંગ્રેસમાં કાયમી આમંત્રિત
સરકારે FDI ના નિયમોમાં કર્યો ફેરફાર, ચીન અને પાકિસ્તાન નહીં કરી શકે મનમાની
સરકારી તિજોરીમાં 115 કરોડની ધરખમ આવક : પ્રજા માટે જાણે દાઝ્યા પર ડામ
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્રમાં MNSએ લગાવ્યા પોસ્ટર, બાંગ્લાદેશી-પાકિસ્તાની ઘુસણખોરોની જાણકારી આપનારને મળશે ₹5000
Next Article નોટબંધીના કેસમાં નોટિસનો જવાબ ન આપનારનું બેંક એકાઉન્ટ સીઝ કરાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up