By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોઈની સાથે બદલો લેશું નહીં, દરેકને માફ કર્યું. તાલિબાને દુનિયાને આપ્યા આ 10 વચનો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોઈની સાથે બદલો લેશું નહીં, દરેકને માફ કર્યું. તાલિબાને દુનિયાને આપ્યા આ 10 વચનો
GeneralInternational

કોઈની સાથે બદલો લેશું નહીં, દરેકને માફ કર્યું. તાલિબાને દુનિયાને આપ્યા આ 10 વચનો

HM News
Last updated: 18/08/2021 7:36 AM
HM News
4 years ago
Share
SHARE

કાબુલ : અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાન ટૂંક સમયમાં સરકાર બનાવવા જઈ રહ્યા છે. 17 ઓગસ્ટ, મંગળવારે તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદ વિશ્વ સમક્ષ પ્રથમ વખત દેખાયા અને સરકારનો રોડમેપ રજૂ કર્યો.તાલિબાનની સંસ્કૃતિ પરિષદના વડા મુજાહિદ ઝબીઉલ્લાહે પત્રકાર પરિષદમાં કહ્યું- ‘અમને કોઈ પ્રત્યે દ્વેષની લાગણી રાખીશું નહીં.અમને બાહ્ય કે આંતરિક દુશ્મનો નથી જોઈતા.તાલિબાન નેતાઓ જલાલાબાદમાં વ્યૂહરચના પર ચર્ચા કરી રહ્યા છે.અફઘાનિસ્તાનને આઝાદ કર્યાનો અમને ગર્વ છે.ટૂંક સમયમાં શરિયા કાયદા હેઠળ સરકાર રચાશે.

આ દરમિયાન તાલિબાનની સંસ્કૃતિ પરિષદના વડા મુજાહિદ ઝબીઉલ્લાહે અફઘાનોને 10 વચનો આપ્યા હતા.ચાલો જાણીએ તે 10 વચનો શું છે .

– અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કોઈ પણ દેશ
સામે કાવતરું કરવા, હુમલા કરવા માટે થવા દેવામાં આવશે નહીં.

– વિદેશી દૂતાવાસોની સુરક્ષા તાલિબાન માટે મહત્વની છે અને તેઓ પ્રતિજ્ઞા લે છે કે દૂતાવાસો સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.
– મુજાહિદે કહ્યું કે ઈસ્લામિક અમીરાત વિશ્વના તમામ દેશોને વચન આપી રહ્યું છે કે અફઘાનિસ્તાનથી કોઈ પણ દેશને કોઈ ખતરો નહીં હોય.
– મુજાહિદે કહ્યું કે, તેઓ મહિલાઓને ઇસ્લામના આધારે તેમના અધિકારો આપવા માટે પ્રતિબદ્ધ છે.તેઓ કહે છે કે મહિલાઓ આરોગ્ય ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોમાં જ્યાં જરૂર હોય ત્યાં કામ કરી શકે છે.
તેમનું કહેવું છે કે મહિલાઓ સાથે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં.
– મુજાહિદે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે તમામ મીડિયા સંસ્થાઓ તેમની પ્રવૃત્તિઓ ચાલુ રાખે.કોઈપણ પ્રસારણ ઇસ્લામિક મૂલ્યોની વિરુદ્ધ ન હોવી જોઈએ, તે વાજબી હોવું જોઈએ.
– મુજાહિદે કહ્યું કે તેણે દરેકને માફ કરી દીધા છે અને ભૂતપૂર્વ લશ્કરી સભ્યો અને વિદેશી દળો સાથે કામ કરતા લોકો સહિત કોઈની સાથે બદલો લેશે નહીં. મુજાહિદ કહે છે, “કોઈ તેના ઘરની તલાશી લેશે નહીં.”
– તાલિબાને અફઘાનિસ્તાનમાં રહેતા લોકોને આશ્વાસન આપ્યું કે, ‘તમને કોઈ નુકસાન નહીં કરે. કોઈ તમારા દરવાજા ખટખટાવશે નહીં.
– અફઘાનિસ્તાનમાં કોઈ કોઈનું અપહરણ કરી શકે નહીં.કોઈ કોઈનો જીવ લઈ શકે નહીં.સુરક્ષામાં સતત વધારો કરશે.
– તાલિબાને વચન આપ્યું હતું કે તેમના શાસનમાં દેશની અર્થવ્યવસ્થા અને લોકોનું જીવનધોરણ સુધરશે.
– તાલિબાનના પ્રવક્તાએ કહ્યું, “તાલિબાનની પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા બનાવવાની છે.” આ પછી લોકો શાંતિથી જીવી શકશે.

કોરોનાકાળમાં આ દેશના PM એ ગૂપચૂપ રીતે 23 વર્ષ નાની મંગેતર સાથે લગ્ન કરી લીધા
નવલા નોરતા એટલે શકિતની ઉપાસના કરવાના દિવસો
રાંદેર કોરોના પોઝિટીવ કેસોનું હોટેસ્ટ સ્પોટ : 82,000 લોકો 14મી સુધી ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન
ગુજરાતમાં કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન, 1990માં 33 બેઠકો મળી હતી
ગાંધીનગર કોર્પોરેશનના 11 વોર્ડની 44 બેઠકો માટે 127માંથી 32 ઉમેદવાર ધો.10થી ઓછું ભણેલા
Share This Article
Facebook Email Print
Previous Article “તેમનો અંદાજ – હિંમત દુનિયાએ જોઈ.” સપા સાંસદ બાદ હવે મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે તાલિબાનને કરી સલામ
Next Article અફઘાનિસ્તાન : મંદિર છોડવાના બદલે તાલિબાનના હાથે મરવા તૈયાર છે પુજારી રાજેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up