By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાએ ફરી ઉથલો માર્યો, નવા કેસ ત્રણ હજારને પાર, વધુ 32ના મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોનાએ ફરી ઉથલો માર્યો, નવા કેસ ત્રણ હજારને પાર, વધુ 32ના મોત
GeneralNational

કોરોનાએ ફરી ઉથલો માર્યો, નવા કેસ ત્રણ હજારને પાર, વધુ 32ના મોત

HM News
Last updated: 28/04/2022 4:15 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસ ફરી ઉથલો મારી રહ્યો છે. જેને પગલે દૈનિક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસો વધીને ત્રણ હજાર સુધી પહોંચી ગયા છે.જ્યારે વધુ ૩૨ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.એક્ટિવ કેસોમાં પણ ૬૪૩નો વધારો થયો છે અને આંકડો ૧૬ હજારને પાર જતો રહ્યો છે.દેશભરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૪,૩૦,૬૫,૪૯૬એ પહોંચી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે કોરોના મહામારી અંગે બેઠક યોજી હતી, જેમાં તેમણે રસીકરણ વધારવા પર પણ ભાર મુક્યો હતો. દરમિયાન દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસીના ૧૮૮ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.કોરોનાને કારણે જે લોકોના મોત નિપજ્યા હોય તેમના પરિવારને વળતર આપવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.જેને પગલે જે પરિવાર દ્વારા વળતર માટે અરજી કરવામાં આવે છે તેમને વળતર અપાય છે.આ સ્થિતિ વચ્ચે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા વળતરની અરજી માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

હવેથી કોરોનાને કારણે મોત નિપજે તેના ૯૦ દિવસની અંદર વળતર માટે અરજી કરી દેવાની રહેશે.જે લોકોના કોરોનાને કારણે ૨૦મી માર્ચ ૨૦૨૨ પહેલા થયા હશે તેઓએ બે મહિનાની અંદર અરજી કરવાની રહેશે.એટલે કે ૨૦ માર્ચ પછી કે ભવિષ્યમાં કોરોનાને કારણે મોત નિપજે તો ત્રણ મહિનાની અંદર અરજી કરવાની રહેશે.બીજી તરફ કેરળમાં કોરોનાના કેસો વધતા હવેથી માસ્ક પહેરવું ફરીથી ફરજિયાત કરવામાં આવ્યું છે.જે લોકો આ નિયમોનો ભંગ કરે તેમની પાસેથી દંડ વસુલવાના આદેશ સરકાર દ્વારા જારી કરવામાં આવ્યા છે.હાલ કોરોના રસીનો બૂસ્ટર ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.એવામાં હવેથી કોરોનાનો બીજો અને ત્રીજો એટલે કે બૂસ્ટર ડોઝ વચ્ચેનો સમયગાળો નવ મહિનાથી ઘટાડીને છ મહિના કરવા સરકાર વિચારી રહી છે.

રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમા ગુજરાતના અનેક શહેરમાં વિરોધ પ્રદર્શન, કોંગ્રેસના કાર્યકરોની પોલીસે કરી અટકાયત
આજે રાજકોટમાં ટી20 જંગ, ભારતની સ્થિતિ યથાવત, જીતવું ફરજિયાત
મુંબઇ કોંગ્રેસે મોહન ડેલકર આપઘાત મામલે ભાજપની ભૂમિકા અંગે ઉઠાવ્યા સવાલ , ભાજપ વિરૃદ્ધ તપાસ કરવા સરકાર સમક્ષ માંગણી કરશે
બીજા દિવસે પણ અમદાવાદના ચિરિપાલ ગ્રુપને ત્યાં ITનું સર્ચ ઓપરેશન યથાવત, અધધધ…બિનહિસાબી દસ્તાવેજો મળી આવ્યા ..
ઈઝરાયલે હમાસના આતંકવાદી ઓસામા મઝિનીને કર્યો ઠાર, ગાઝામાં 250 લોકોને બંદી બનાવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article દેશના અડધો ડઝન રાજ્યમાં વીજ સંકટ, યુપીમાં માત્ર 7 દિવસ ચાલે તેટલો કોલસો
Next Article વિપક્ષી રાજ્યોએ પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ન ઘટાડી અન્યાય કર્યો: મોદી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up