નવી દિલ્હી તા. ર૦ : દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ર૪ કલાકમાં ૧૪પ૧૬ નવા કેસ આવ્યા છે.જયારે ૩૭પ લોકોના મોત થયા છે એક દિવસમાં આવેલા અત્યાર સુધીના આ સૌથી ઉંચા આંકડા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ ના કેસની સંખ્યા વધીને ૩૯પ૦૪૮ ની થઇ છે.જેમાંથી ર,૧૩,૮૩૧ સાજા થયા છે જયારે ૧૬૮ર૬૯ એકટીવ કેસ છે.દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧ર૯૪૮ લોકોને કોરોના વાયરસ ભરખી ગયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 540 Corona ના કેસ આવ્યા સામે, 27ના મોત
ગુજરાતમાં Coronaનો કહેર યથાવત રહેતા પોઝીટીવ દર્દીઓનો આંકડો 500ને પાર રહ્યો છે,ત્યારે આજે વધુ 540 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 27 દર્દીના મોત થયા છે. સાથે જ 340 દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે.અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 312 કેસ નોંધાયા છે.જ્યારે 21 લોકોનાં મોત થયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા – 540
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ -27
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 340
અત્યાર સુધીમાં રાજ્યમા કુલ દર્દીઓના મોત – 1619
આજે નોંધાયેલા કેસની જિલ્લા પ્રમાણે વિગત
વાસાવડ ગામે કોરોનાના 4 પોઝિટિવ કેસ
ગોંડલ તાલુકાના વાસાવડ ગામે કોરોનાના 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. એક જ પરિવારના ચાર લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.પતિ- પત્ની અને ૨ બાળકોના રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે.આ પરિવાર મુંબઈથી વાસાવડ આવ્યો હતો અને તેઓ હોમ ક્વોરન્ટીન હતા.તે દરમિયાન રિપોર્ટ કરવામાં આવતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
7 લોકોને ડિસ્ટ્રીક ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા
પોરબંદરના તાલુકા વિકાસ અધિકારી દ્વારા તારીખ વગરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં કોઈ પણ સમયે જિલ્લાની બહારથી આવતા લોકોને ક્વોરન્ટીન કરી શકાશે. આજે સવારે એક બસ પોરબંદર પહોંચી ત્યારે 12 પૈકી 7 લોકોને ડિસ્ટ્રીક ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા હતા.જેથી પ્રવાસીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આરોગ્ય અધિકારીને આ વિશે ફોન કરીને જાણ કરવામાં આવી તો તેમણે જવાબ આપ્યો કે તેઓ કોઈ પણ જાહેરનામા વીશે જાણતા નથી.મહત્વનું છે કે, જિલ્લાના અધિકારીઓ દ્વારા કાયદાઓતો બનાવામાં આવે છે,પરંતુ કોઈને કોઈ પ્રકારની જાણ નથી કરવામાં આવતી.જેના કારણે લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડે છે.સમગ્ર મામલે આરોગ્ય અધિકારી કેમેરા સામે આવવા માટે તૈયાર નથી અને ડીડીઓ ફોન ઉપાડવાની પણ તસ્દી નથી લઈ રહ્યા છે.