કોરોના સંકટની વચ્ચે દેશની ચાર મોટી બેન્ક ગ્રાહકો પાસેથી બેન્કિંગ ટ્રાંજેક્શન પર ચાર્જ વસૂલ કરશે.બેન્કની આ વ્યવસ્થા 1 ઓગષ્ટ 2020થી લાગુ થઈ રહી છે. આ ચાર બેન્કમાં Axis Bank, Bank of Maharashtra, Kotal Mahindra અને RBL સામેલ છે.Axis bank ના ગ્રાહકોને પ્રતિ ECS ટ્રાંજેક્શન પર 25 રૂપિયા આપવા પડશે. જ્યારે આ પહેલા બેન્કની તરફથી આ સુવિધા એકદમ મફત હતી. અહીંયા વધારે લોકરના એક્સેસ પર હવે ચાર્જ આપવો પડશે.તે સિવાય Axis Bankએ નક્કી કર્યુ છે કે,પ્રતિ બંડલ કેશ હેન્ડલિંગ ફી વસૂલવામાં આવશે.
20 રૂપિયા ATM ચાર્જ આપવો પડશે
આ 100 રૂપિયા પ્રતિ બંડલ નક્કી કરવામાં આવ્યો છે. તો આ તરફ કોટક મહિન્દ્રા બેન્કના ગ્રાહક (સેવિંગ અન કોર્પોરેટ સેલરી એકાઉન્ટ હોલ્ડર)ને હવે દર મહીને પાંચ ફ્રી ટ્રાંજેક્શન બાદ કેશ નિકાસી પર 20 રૂપિયા ATM ચાર્જ આપવો પડશે.બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં બચત ખાતામાં ઓછામાં ઓછા 1500 ની જગ્યાએ 2 હજાર રૂપિયા રાખવ પડશે.
ગ્રામીણ બ્રાંચમાં 20 રૂપિયાની રકમ વસૂલવામાં આવશે
મેટ્રો એને શહેરી ક્ષેત્રોના ખાતા ધારકોને પોતાના ખાતમાં આ રાશિ રાખવી પડશે. મેટ્રો અને શહેરી વિસ્તારમાં 75 રૂપિયા અર્ધશહેરી વિસ્તારોની બ્રાંચમાં 50 તો ગ્રામીણ બ્રાંચમાં 20 રૂપિયાની રકમ વસૂલવામાં આવશે.RBL બેન્કના સેવિંગ્સ એકાઉન્ટ પર મળનાર વ્યાજમાં કપાત કર્યો છે. 1 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર 4.75 ટકા, 1-10 લાખ રૂપિયા સુધીની જમા પર 6 ટકા અને 10 લાખથી 5 કરોડ રૂપિયા સુધીની જમા પર 6.75 ટકા વર્ષનું વ્યાજ ઉપલબ્ધ કરાવવામાં આવશે.