By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાના કેસોમાં 105ના વધારા સાથે નવા 632 કેસ: વલસાડમાં એકનું મૃત્યુ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કોરોનાના કેસોમાં 105ના વધારા સાથે નવા 632 કેસ: વલસાડમાં એકનું મૃત્યુ
AhmedabadGeneral

કોરોનાના કેસોમાં 105ના વધારા સાથે નવા 632 કેસ: વલસાડમાં એકનું મૃત્યુ

HM News
Last updated: 02/07/2022 6:47 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત પાંચમાં દિવસે વધારો જોવા મળ્યો છે.ગુરુવારે રાજ્યભરમાં કોરોનાના એક્ટિવ કેસમાં ૨૪૭ કેસના વધારા સાથે આંકડો ૩૩૦૦ની નજીક એટલે કે,૩૨૮૯ને આંબી ગયો છે.જેમાં કોવિડના નવા ૬૩૨ કેસનો સમાવેશ થાય છે.વલસાડના એક દર્દીનું કોવિડથી મોત નિપજ્યું છે.ગુરુવારની સરખામણીએ શુક્રવારે નવા કેસોમાં ૧૦૫નો તોતીંગ વધારો નોંધાયો હતો.જોકે,સાજા થનારા દર્દીઓની સંખ્યા ગઈકાલની સરખામણીએ ઘટી છે અને શુક્રવારે ૩૮૪ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.દર્દીઓની વિગતવાર સંખ્યા જોઈએ તો અમદાવાદ શહેરમાં ગઈકાલના ૨૨૨ કેસમાં ૩૬ના વધારા સાથે ૨૫૮ અને જિલ્લાના ચાર મળી કુલ ૨૬૨ કેસ સાથે મોખરે છે.ગાંધીનગર મહાનગરપાલિકામાં રાતોરાત ચોંકાવનારા ૩૨ કેસ નોંધાયા છે.સુરત શહેરમાં ૮૫ અને જિલ્લામાં ૧૮ જ્યારે વડોદરા શહેરમાં ૪૨ તો જિલ્લામાં ચાર નવા કેસ નોંધાયા છે.

જોકે,બોટાદ,જામનગર અને પોરબંદર સહિત ૧૦ જિલ્લામાં કોરોનાનો નવો એક પણ દર્દી નોંધાયો નથી,જે તંત્ર માટે રાહતરૂપ બાબત ગણાશે.છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા નવા ૩૨૮૯ એક્ટિવ કેસમાં અમદાવાદ,સુરત અને વડોદરા સિવાયના અન્ય મહાનગરો-જિલ્લાઓની સ્થિતિ જોઈએ વલસાડમાં કોરોનાનું સંક્રમણ આગળ ધપી રહ્યું છે અને ગઈકાલના ૨૨ કેસ સામે આજે ૩૨ કેસ નોંધાયા છે.

સાણામાં પણ કેસો વધીને ૩૦,નવસારીમાં ૧૮,ગાંધીનગર જિલ્લામાં ૧૧,પાટણમાં ૧૧,રાજકોટ શહેરમાં ૧૪ અને જિલ્લામાં સાત,કચ્છમાં ૧૪,પાટણમાં ૧૧ ભાવનગર શહેરમાં ૮ અને જિલ્લામાં ૨,દેવભૂમી દ્વારકા અને રાજકોટમાં ૭-૭,સાબરકાંઠામાં ૬,ભરૂચમાં પાંચ,આણંદ,મોરબીમાં ૪-૪,અમરેલી,ખેડા અને સુરેન્દ્રનગરમાં બબ્બે,બનાસકાંઠા,દાહોદ,ગીર સોમનાથ,પંચમહાલ અને તાપીમાં એક-એક નવા કેસ નોંધાયા છે.સરકારે જાહેર કરેલી યાદી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૪ દર્દી કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે જ્યારે કુલ એક્ટિવ કેસમાંથી ૩૨૮૯ દર્દીની સ્થિતિ સ્ટેબલ જ્યારે છ દર્દી વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૧૨,૧૮,૪૨૬ દર્દી સારવાર લઈને ડિસ્ચાર્જ થયા છે.કોરોના સંક્રમિત એક દર્દીનું મૃત્યુ થતા અત્યારસુધીમાં કુલ ૧૦,૯૪૭ લોકોના મૃત્યુ નિપજ્યાં છે.કોરોનાના નવો વેરિયન્ટની ઝપટમાં નવા લોકો આવી રહ્યા છે,છતાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો થઈ રહ્યો છે,છતાં એક્ટિવ કેસની સંખ્યામાં જોવા મળી રહેલો વધારો ચિંતા ઉપજાવનારો છે.

અજાણ્યા યુવકની લાશ મળી આવતા ખળભળાટ, હત્યાની આશંકા
હાઈ પ્રોફાઈલ ડ્રામાનો ક્લાઈમેક્સ : ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 25 સભ્યનું મંત્રીમંડળ રચાયું, 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓ
સુરત : સેક્સ વર્કર યુવતી સાથે યુવકને શું પડ્યો વાંધો કે યુવતીએ તેને જાહેરમાં ધોઈ નાંખ્યો ?
HM EXCLUSIVE : ભરૂચ ભાજપના નેતાનો સેક્સ વિડીયો વાયરલ થતા રાજકારણમાં મચ્યો હડકંપ
સુરતમાં હવે બાળકોમાં કોરોનાનો ફેલાવો : 4 વર્ષના બાળકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
Share This Article
Facebook Email Print
Previous Article વિદ્યાર્થીને પાસપોર્ટ ઓફિસે 6 કલાકમાં જ પાસપોર્ટ ઇશ્યૂ કર્યો
Next Article આર્યન ખાનની કોર્ટમાં અપીલ, પાસપોર્ટ પાછો આપો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up