દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે.છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 2,183 કેસ નોંધાયા છે.17 એપ્રિલ, 2022ના રોજ સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગઈકાલે દેશમાં 1,150 કેસ નોંધાયા હતા.કોરોનાના કેસોમાં જોવા મળી રહેલો આ ઉછાળ લગભગ 90 ટકા છે.હાલમાં દિલ્હી, યુપી અને હરિયાણામાં કોરોનાના કેસમાં વધારો થયો છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 214 દર્દીઓના મોત નોંધાયા છે.જ્યારે 1985 લોકો સાજા થયા છે.સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં હાલમાં 11,542 સક્રિય કેસ છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,61,440 ટેસ્ટ કરવામાં આવ્યા છે.જે બાદ અત્યાર સુધી કોરોના ટેસ્ટનો આંકડો 83.21 કરોડને સ્પર્શી ગયો છે.બીજી બાજુ, રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 186.54 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો.પરંતુ તાજેતરના દિવસોમાં ફરીથી કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે.નોંધનીય છે કે, ઘણા રાજ્યોએ કોરોના કેસમાં ઘટાડો જોયા બાદ કોવિડ પ્રતિબંધો હટાવ્યા છે.


