– કોરોના દર્દીના સંપર્કમાં આવેલ 34 જેટલા લોકોનો રિપોર્ટ ટેસ્ટિંગ માટે આવતા સ્ટાફ ગભરાઈ ગયો
વાપી : કોરોના પેસેન્ટ ની ટ્રીટમેન્ટ માટે વલસાડ તંત્ર દ્વારા વાપી જનસેવા માં હોસ્પિટલમાં ઉભી કરેલી સેવા પ્રથમ કેસ માં જ હચમચી ગયી.કોરોના ના પેસેન્ટના સંપર્ક માં આવેલ 34 જેટલા વ્યક્તિઓ ને ચકાસણી માટે લઈ જવાતા હોસ્પિટલનો મોટા ભાગ નો સ્ટાફ ઘભરાઈને ભાગી છૂટ્યો હતો આ મામલો ડીએચઓ સુધી પોહચતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.રામ ભરોસે બનેલી જનસેવા હોસ્પિટલમાં હવે જે પેશન્ટો ની ચકાસણી કરવાની બાકી છે તે પ્રક્રિયા હજી 24 કલાક લાગશે.ત્યારે બીજી તરફ કોરોના પીડિત યુવક અને અન્ય લોકો ને એકજ વૉર્ડ માં રાખતા લોકોમાં ચિંતા નો માહોલ ઉભો થયો હતો.