બિહાર, તા.12 એપ્રિલ 2020, રવિવાર
કોરોના વાયરસના કહેર વચ્ચે એક તરફ દેશના સેંકડો ડોકટરો અને નર્સો જાનની પરવા કર્યા વગર લોકોની સારવાર કરી રહ્યા છે તો કેટલાક ડોક્ટરો એવા પણ છે જે ફરજથી ભાગી રહ્યા છે.
કોરોનાના સંકટમાં બિહારના 9 મેડિકલ કોલેજોમાં 234 ડોક્ટરો ગાયબ જોવા મળ્યા છે. બિહારના આરોગ્ય વિભાગ દ્વારા હવે આ તમામ ડોકટરો પાસે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યુ છે. જો બીજી સરકારી હોસ્પિટલોમાં ગેરહાજર ડોક્ટરોની સંખ્યા જોડવામાં આવે તો આ આંકડો બમણો થઈ શકે છે.
સ્વાસ્થ્ય વિભાગના ચીફ સેક્રેટરીનુ કહેવુ છે કે, ડોક્ટરો અને બીજા કર્મચારીઓને એક મહિનાનો વધારાનો પગાર આપવાનુ પણ એલાન કરાયુ છે. આવામાં ડોક્ટર અને કર્મચારીઓને આગ્રહ છે કે, સંકટના સમયે ફરજ બજાવે.
બિહારમાં હાલમાં કોરોનાના 64 દર્દીઓ સામે આવ્યા છે. એક વ્યક્તિનુ મોત થયુ છે.