નવી દિલ્હી : દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર નિરંતર વધારો થઈ રહ્યો છે.દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે.આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 1,68,912 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 904 લોકોનાં મોત થયાં છે. એકલા મહારાષ્ટ્રમાં 63,000થી વધુ કેસો સામે આવ્યા છે, જે પછી રાજ્યમાં લોકડાઉન લગાવવામાં આવે એવી પ્રબળ શક્યતા છે.દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,35,27,717 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,70,179 લોકોનાં મોત થયાં છે.જોકે આ ખતરનાક બીમારીને 1,21,56,529 લોકો માત આપી ચૂક્યા છે.પાછલા 24 કલાકમાં 75,086 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે.જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 12,01,009 પહોંચી છે.રિકવરી રેટ વધીને 89.86 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.26 ટકા થયો છે.
દેશમાં 10.45 કરોડ લોકોનું રસીકરણ
દેશમાં અત્યાર સુધીમાં 10,45,28,565 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે.ગઈ કાલે 29,33,418 લોકોને રસી આપવામાં આવી હતી.