મુંબઇ : કોરોના વાયરસની મહામારીને રોકવા લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનથી ભારતીય અર્થવ્યવસ્થાને મોટો કમરતોડ ફટકો પડ્યો છે.અગ્રણી ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ (S&P)એ આજે ગુરવારે કહ્યું કે,કોવિડ-19ની મહામારીને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનથી આર્થિક ગતિવિધિઓ ગંભીર રીતે પ્રભાવિત થઇ છે,જેના પગલે ભારતીય અર્થવ્યવસ્થા ચાલુ નાણાંકીય વર્ષે 5 ટકા ઘટી શકે છે.
S&Pએ એક નિવેદનમાં કહ્યુ છે કે,અમે આગામી માર્ચ 2021માં સમાપ્ત થઇ રહેલા ચાલુ નાણાંકીય વર્ષમાં અમારા વિકાસદરના પૂર્વ અંદાજને ઘટાડીને નકારાત્મક 5 ટકા કરી દીધી છે.હાલના સમયમાં અમારું માનવુ છે કે મહામારીનો પ્રકોપ ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં ચરમસીમા પર હશે.
આ પૂર્વે રેટિંગ એજન્સી ફિચ અને ક્રિસિલે પણ ભારતીય અર્થવ્યવસ્થામાં 5 ટકાનો સંકોચન આવવાનો અંદાજ મૂક્યો હતો.S&P એ એક નિવેદનમાં જણાવ્યુ કે,ભારતમાં કોવિડ-19ની મહામારી અ બે મહિનાના લોકડાઉને અર્થવ્યવસ્થામાં અચાનક મોટા અવરોધો ઉભા કરી દીધા છે. તેનો મતલબ એ છે કે, ચાલુ નાણાંકીય વર્ષે ભારતની વૃદ્ધિમાં ઝડપી સંકોચન દેખાશે,આર્થિક ગતિવિધિઓએ આગામી એક વર્ષ સુધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે
ભારતમાં હજી પણ કોરોના વાયરસની મહામારીને અંકુશમાં લઇ શકાય નથી.છેલ્લા એક સપ્તાહમાં દરરોજ કોરોના વાયરસના 6000થી વધારે પોઝિટિવ સામે આવી રહ્યા છે.સરકારે લોકડાઉનમાં છુટછાટ આપી છે અને તેના લીધે સંક્રમણ વધી રહ્યુ હોવાનું મનાય છે.સરકારે કોરોના વાયરસના સંક્રમણની દ્રષ્ટિએ સમગ્ર દેશને રેડ ઝોન,ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં વિભાજીત કર્યો છે અને મુશ્કેલી વાત એ છે કે મહત્વપૂર્ણ ઔદ્યોગિક ક્ષેત્રો રેડ ઝોનમાં આવેલા છે.