કોરોના વાયરસ મહામારીથી વિશ્વની અનેક અર્થવ્યવસ્થાને ઝટકો લાગ્યો છે.કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ઘણું નુકસાન થયું છે.કેટલીય કંપનીઓમાં પ્રોડક્શન બંધ થવાને કારણે મૂવ આઉટ થઈ રહી છે.સપ્લાય ચેન પણ તૂટી જતાં રો મટીરિયલ સપ્લાયથી લઈને પ્રોડક્શન તેમજ માર્કેટિંગ સુધીની તમામ ચેઈનને અસર પડી છે.ઓપ્ટિક્સ અને બિઝનેસ બંને બાબતે ચીનને મોટો ઝાટકો લાગ્યો છે.આ દરમિયાન ભારત હવે ચીનને હેરાન કરવા માટે બધી રીતે તૈયાર છે.હાલમાં એક મોકો છે કે તે કંપનીઓને દેશમાં બોલાવવામાં આવશે જે કોરોના જેવી મહામારી ફેલાયા પછી ચીનમાં રહેવા નથી માગતી.જેમણે પોતાના પ્રોડક્શન સેન્ટરો બદલવા છે તેને ભારત માટે આનાથી વધુ સારી બાબત કઈ હોઈ શકે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંકેત આપ્યો છે કે તેઓ આ દિશામાં રોકાણ કરવા તૈયાર છે.
પ્લગ એન્ડ પ્લે મોડેલ
પીએમ મોદીના મનમાં જે યોજના છે તેનો છેલ્લા ઘણા મહિનાઓથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આ ‘પ્લગ એન્ડ પ્લે’ મોડેલ છે.આના દ્વારા, રોકાણકારો સારી જગ્યાઓઓળખીને પછી ઝડપથી ત્યાં પોતાનો પ્લાન્ટ લગાવે છે.હાલમાં જે સિસ્ટમ અસ્તિત્વમાં છે તે રોકાણકારોને લગભગ એક ડઝન રાજ્યોમાં પોતાનું સેટઅપ લગાવાની તક આપે છે.કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ ક્લિયરન્સ માટે સિંગલ વિન્ડો પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે. તેમાં ઇલેક્ટ્રોનિક અને મોનિટરિંગ સિસ્ટમ પણ હશે.
રાજ્યવાર રોકાણ પર ભાર
કેન્દ્ર સરકાર તે માટે પૈસા ખર્ચવા પણ તૈયાર છે.અધિકારીઓના મતે આ નાણાંનો ઉપયોગ નવા એસ્ટેટ અને ગ્રેટર નોઇડા જેવી ઈકોનોમિક -આર્થિક ઝોન બનાવવા માટે ઊપયોગ કરવામાં આવશે.પીએમ મોદી રાજ્યવાર રોકાણ વધારવા માગે છે. દાત.ગુજરાત,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પાસે ફાર્માની પકડ છે,તો તેઓ આ ક્ષેત્રમાં રોકાણો શોધવો જોઈએ.ઇલેક્ટ્રોનિક્સના આધાર તરીકે ઉભરેલા ઉત્તર પ્રદેશ જેવા રાજ્યને કૃષિ આધારિત ઉદ્યોગો માટે પણ પ્રમોટ કરી શકાય છે.
ચીન સાથે થયો મોહભંગ
હાલમાં ચીન માત્ર ગુણવત્તા જ નહીં પરંતુ વિશ્વાસના સંકટનો પણ સામનો કરી રહ્યું છે.આવી સ્થિતિમાં ભારત અનેક જૂનાં ફાર્માસ્યુટિકલ એકમોની શરૂ કરવાની તૈયારીઓ પણ કરી રહ્યું છે જેથી તે જથ્થાબંધ દવાઓનું કેન્દ્ર બની શકે.હાલમાં,દવાઓ માટે વિશ્વનો 55 ટકા કાચા માલ ચીનમાંથી આવે છે. જો હાલની પરિસ્થિતિનો લાભ લે તો ભારત ચીનની જગ્યા લઈ શકે છે.મેડિકલ ઉપરાંત, મેડિકલ ટેક્સટાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર જેવા ઉત્પાદનોની નિકાસ પણ ભારત મોટા પ્રમાણમાં કરવા માંગે છે.
ભારત ચીનના મેઈન સોર્સને ડાયવર્ટ કરી શકે છે
ચીનને આ બધી બાબતો આંખમાં કણાની જેમ ખટવાના ઘણાં કારણો છે.જેને જોઈએ તો, ત્યાં પગારમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.તે કારણે ઘણીં મલ્ટિનેશનલ કંપનીઓ એક નવું પ્રોડક્શન બેઝ ઈચ્છે છે. કોરોના વાયરસથી ચીનનું જોડાણ અને તે પર મચેલી ગ્લોબલ બબાલને કારણે પણ કંપનીો ઈચ્છે છે કે ચીન સપ્લાઈનું મેઈન સોર્સ ના રહે.પીએમ મોદી એવી કંપનીઓ પર નજર રાખી રહ્યા છે જે ચીનમાંથી બહાર નીકળવા માંગે છે.કોરોના વાયરસ ફેલાયા પછી, તેની સંભાવનાઓ વધી ગઈ છે કે ઘણા દેશો તેમની કંપનીઓને ચીનની બહાર મેન્યુફેક્ચરિંગની વ્યવસ્થા કરવા કહેશે.ભારત છેલ્લા કેટલાક મહિનાઓથી ‘ચાઇના પ્લસ વન’ ની વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે, હવે તે કવાયતે જોર પકડ્યું છે. તાજેતરમાં અમેરિકાએ પણ આ આખી કવાયતને વેગ આપ્યો છે.

