By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાને લઈ સુરત મ્યુ. કમિશનરનું વધુ એક જાહેરનામું, વિદેશથી આવેલા લોકોએ ફરજિયાત આ કામ કરવું પડશે, નહીં તો…
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > કોરોનાને લઈ સુરત મ્યુ. કમિશનરનું વધુ એક જાહેરનામું, વિદેશથી આવેલા લોકોએ ફરજિયાત આ કામ કરવું પડશે, નહીં તો…
GeneralGujarat NowSurat

કોરોનાને લઈ સુરત મ્યુ. કમિશનરનું વધુ એક જાહેરનામું, વિદેશથી આવેલા લોકોએ ફરજિયાત આ કામ કરવું પડશે, નહીં તો…

HM News
Last updated: 23/03/2020 8:41 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતમાં કોરોના વાયરસનો ભય વધી રહ્યો છે. ગુજરાતમાં તમામ લોકોને ચિંતા ઉપજાવે તેવા એક અહેવાલ મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કુલ આંક 29 પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે 1નું મોત નિપજ્યું છે. કોરોનાને લઈને સુરત મ્યુ. કમિશનરનું વધુ એક જાહેરનામું બહાર પાડ્યું છે અને વિદેશથી આવેલા લોકોએ જાહેરાત કરવાની રહેશે. વિદેશથી આવેલા લોકોએ તાત્કાલિક સૌથી પહેલા ટોલ ફ્રી નંબર 18001238000 પર કોલ કરવાનો રહેશે. અથવા તો www.suratmunicipal.gov.in પર ફોર્મ ભરવાનું ફરજિયાત રહેશે. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા હોમ ક્વોરોન્ટાઈન અને આઈસોલેશન પ્રોટોકોલનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે. હોમ કોરોન્ટાઇન લોકોએ COVID-19 મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની રહેશે.

ગુજરાતમાં કોરોનાના કુલ આંક 29 પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે 1નું મોત નિપજ્યું છે. અમદાવાદમાં કોરોનાના 13 કેસ પોઝિટિવ નોંધાતા મોટો ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સિવાય સુરતમાં કોરોના 4 પોઝિટિવ કેસ અને 1નું મોત, વડોદરામાં 6 અને ગાંધીનગરમાં 4 કેસ, કચ્છ અને રાજકોટમાં કોરોનાના 1-1 કેસ પોઝિટિવ કેસો નોંધાયા છે.

સુરત કોરોના વાયરસની પરિસ્થિતિ સામે વધુ એક જાહેરનામું બહાર પાડ્યું છે. સુરત મનપા કમિશનર બચ્છાનિધિ પાનીનું નવું જાહેરનામું સામે આવ્યું છે. વિદેશથી આવેલા કે વિદેશ પ્રવાસ કરીને આવેલા નાગરિકોએ ફરજિયાત જાહેરાત કરવાની રહેશે. સુરત મનપા દ્વારા ટોલ ફ્રી નંબર 18001238000 પર કોલ કરવાનો રહેશે. સુરત મનપાની વેબસાઈટ www.suratmunicipal.gov.in પર સેલ્ફ ડેકલેરેશન ફોર્મ ભરવાનું ફરજિયાત રેહશે.

તમામને આપવામાં આવેલી સૂચના મુજબ હોમ કોરોન્ટાઇન / આઇસોલેશનના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. હોમ-કોરોન્ટાઇન લોકોએ COVID-19 મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની રહેશે. SMC COVID-19 એપ ડાઉનલોડ કરી પોતાનું લોકેશન સેટ કરવાનું ફરજિયાત રહેશે, જેનું ટ્રેકિંગ મહાનગરપાલિકા દ્વારા સતત કરવામાં આવશે. જો નિયત કરેલા મર્યાદાની બહાર જણાશે તો સખત પગલાં ભરવામાં આવશે. પોલીસ ફરિયાદ સહિત ક્વોરોન્ટાઇન વોર્ડમાં પણ મોકલી આપવામાં આવશે.

તાપી કલેકટર તરીકે એચ.કે.વઢવાણીયાએ પદભાર સંભાળ્યો
કેરળમાં કોંગ્રેસ યુડીએફ સાથે મળીને ચૂંટણી લડશે
કાલથી મોહન ભાગવત અને તા.19ના અમિત શાહ પ.બંગાળની મુલાકાતે
રુપાણી તો ગયા, એમનું રાજ પણ ગયુ : પાટીલે કદ પ્રમાણે વેતર્યા, મંત્રીમંડળમાં કોઈને ન મળ્યું સ્થાન
બાબેન જીનની 89મી વાર્ષિક સાધારણ સભા મળી
Share This Article
Facebook Email Print
Previous Article 10 દિવસ પછીની અમદાવાદીઓ કલ્પના કરજો, ધ્યાન નહીં રાખો તો પસ્તાવાનો વારો આવશે’: રૂપાણી
Next Article તો એટલે PM નરેન્દ્ર મોદી ભરાયા છે રોષે! કનિકા સહિતના આ બેદરકારો બની રહ્યાં છે ખતરો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up