ગુજરાતમાં કોરોના વાયરસનો ભય વધી રહ્યો છે. ગુજરાતમાં તમામ લોકોને ચિંતા ઉપજાવે તેવા એક અહેવાલ મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કુલ આંક 29 પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે 1નું મોત નિપજ્યું છે. કોરોનાને લઈને સુરત મ્યુ. કમિશનરનું વધુ એક જાહેરનામું બહાર પાડ્યું છે અને વિદેશથી આવેલા લોકોએ જાહેરાત કરવાની રહેશે. વિદેશથી આવેલા લોકોએ તાત્કાલિક સૌથી પહેલા ટોલ ફ્રી નંબર 18001238000 પર કોલ કરવાનો રહેશે. અથવા તો www.suratmunicipal.gov.in પર ફોર્મ ભરવાનું ફરજિયાત રહેશે. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા હોમ ક્વોરોન્ટાઈન અને આઈસોલેશન પ્રોટોકોલનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે. હોમ કોરોન્ટાઇન લોકોએ COVID-19 મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની રહેશે.
ગુજરાતમાં કોરોનાના કુલ આંક 29 પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે 1નું મોત નિપજ્યું છે. અમદાવાદમાં કોરોનાના 13 કેસ પોઝિટિવ નોંધાતા મોટો ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સિવાય સુરતમાં કોરોના 4 પોઝિટિવ કેસ અને 1નું મોત, વડોદરામાં 6 અને ગાંધીનગરમાં 4 કેસ, કચ્છ અને રાજકોટમાં કોરોનાના 1-1 કેસ પોઝિટિવ કેસો નોંધાયા છે.
સુરત કોરોના વાયરસની પરિસ્થિતિ સામે વધુ એક જાહેરનામું બહાર પાડ્યું છે. સુરત મનપા કમિશનર બચ્છાનિધિ પાનીનું નવું જાહેરનામું સામે આવ્યું છે. વિદેશથી આવેલા કે વિદેશ પ્રવાસ કરીને આવેલા નાગરિકોએ ફરજિયાત જાહેરાત કરવાની રહેશે. સુરત મનપા દ્વારા ટોલ ફ્રી નંબર 18001238000 પર કોલ કરવાનો રહેશે. સુરત મનપાની વેબસાઈટ www.suratmunicipal.gov.in પર સેલ્ફ ડેકલેરેશન ફોર્મ ભરવાનું ફરજિયાત રેહશે.
તમામને આપવામાં આવેલી સૂચના મુજબ હોમ કોરોન્ટાઇન / આઇસોલેશનના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. હોમ-કોરોન્ટાઇન લોકોએ COVID-19 મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની રહેશે. SMC COVID-19 એપ ડાઉનલોડ કરી પોતાનું લોકેશન સેટ કરવાનું ફરજિયાત રહેશે, જેનું ટ્રેકિંગ મહાનગરપાલિકા દ્વારા સતત કરવામાં આવશે. જો નિયત કરેલા મર્યાદાની બહાર જણાશે તો સખત પગલાં ભરવામાં આવશે. પોલીસ ફરિયાદ સહિત ક્વોરોન્ટાઇન વોર્ડમાં પણ મોકલી આપવામાં આવશે.