By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનામાં ગુજરાત ને પડતા ઉપર પાટુ , GST ના લેવાના નીકળતા 12 હજાર કરોડ પણ કેન્દ્ર ચૂકવતું નથી !! પરેશ ધાનાણી એ ઉઠાવ્યા સવાલો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કોરોનામાં ગુજરાત ને પડતા ઉપર પાટુ , GST ના લેવાના નીકળતા 12 હજાર કરોડ પણ કેન્દ્ર ચૂકવતું નથી !! પરેશ ધાનાણી એ ઉઠાવ્યા સવાલો
AhmedabadGeneralGujarat Now

કોરોનામાં ગુજરાત ને પડતા ઉપર પાટુ , GST ના લેવાના નીકળતા 12 હજાર કરોડ પણ કેન્દ્ર ચૂકવતું નથી !! પરેશ ધાનાણી એ ઉઠાવ્યા સવાલો

HM News
Last updated: 12/09/2020 5:45 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોનામાં હવે કેન્દ્ર તરફ થી અન્યાય કરાતા હવે સાચી સ્થિતિ બહાર આવી રહી છે,નાણાંકીય સ્થિતિ સામે આડેધડ ઉત્સવો,જાહેરાતો અને બિનહેતુકીય ખર્ચાના કારણે ગુજરાત સતત દેવામાં ડૂબી ગયું છે,કોરોના ની સ્થિતિ માં આયોજન વિનાના લોકડાઉનના કારણે મંદી,મોંઘવારી,બેરોજગારી નો ઈશ્યુ ઉભો થતા હવે જનતા પરેશાન થઈ ગઇ છે.

કોરોના કાળની જો વાત કરવામાં આવે તો પાછલા ૯૦ દિવસમાં જ ભાજપનું આર્થિક ચિત્ર ઉઘાડું પડી ગયું છે,રાજ્ય સરકારની ટેક્સની આવકમાં ઘટાડો થયો છે, ખુદ નાણાં મંત્રીએ GST ની કેન્દ્ર સરકાર પાસે લેવાની નીકળતી રૂ. ૧૨ હજાર કરોડની રકમ ની માંગણી કરી છે.

જોકે કેન્દ્ર સરકારે ગુજરાતને જીએસટીના લેણા પેટે લેવાના નીકળતા ૧૨ હજાર કરોડ નહિ ચુકવીને અન્યાય કર્યો છે,તેમ ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ કહ્યુ હતુ. ગુજરાત સરકારે જીએસટીની આવકમાં મોટા પાયે ઘટાડાનો સ્વીકાર કર્યો છે,૨૦૧૯માં આ સમયગાળા દરમિયાન ૧૩,૭૦૦ કરોડની આવક હતી,જેની સામે આ વર્ષે ૮,૯૦૦ કરોડની આવક એટલે કે ૫ હજાર કરોડની ટેક્સની આવકમાં ઘટાડો થયો છે.

આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે ગુજરાતનું દેવું ૨૦૦૨માં ૪૭,૯૧૯ કરોડ હતું જે વધી માર્ચ ૨૦૧૯માં ૨,૮૮,૯૧૦ કરોડ થયું છે.કોરોના સમયે દેશના દરેક વ્યક્તિને સરેરાશ ૨૭ હજારનું તો ગુજરાતમાં ૪૫,૦૧૮નું નુકસાન થયું છે.ધંધો રોજગાર જ ન હોય તો ટેક્સ ક્યાંથી ભરી શકાય? તે સવાલ છે.રાજ્યમાં વહીવટી ખર્ચ, યોજનાકીય ખર્ચ અને પ્રજાલક્ષી યોજના માટે નાણાં નથી તેમ નાણાંમંત્રી પોતેજ કહી રહ્યા છે,જેનો અર્થ એ છે કે,ગુજરાતની આર્થિક સ્થિતિ સારી નથી,જેનો ભોગ ગુજરાતના સામાન્ય-મધ્યમવર્ગના નાગરિકો બની રહ્યા છે.

જીએસટી-નોટબંધી બાદ માત્ર સુરતમાં ૫૦ હજાર યુનિટો બંધ થયા,બે લાખથી વધુ લોકોની રોજીરોટી છીનવાઈ છે ત્યારે સામાન્ય લોકોને આત્મનિર્ભર બનવાની સલાહ આપીને સરકાર પોતાની ફરજો માંથી છટકી રહી છે અને અસહાય સ્થિતિમાં જીવવા કેમ મજબૂર કરી રહી છે તે સવાલ હવે જનતા માં ચર્ચાઈ રહ્યો છે

મુંબઈ એરપોર્ટ પર વિદેશી મહિલાના શરીરમાંથી 3 કરોડનું હેરોઇન-કોકેન પકડાયું
વો કૌન થી?
મુશ્કેલીમાં ઝુકરબર્ગ : ટૂંક સમયમાં બંધ થઈ શકે છે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ, જાણો સમગ્ર મામલો
ભારતી એરટેલના પ્રમોટરો 2.75% ઈક્વિટી વેચીને $1 અબજ મેળવશે
ભારતે ચીન અને પાકને અરીસો દેખાડ્યો, UNમાં આતંકવાદી સાજિદ મીરનો ઓડિયો સંભળાવ્યો
Share This Article
Facebook Email Print
Previous Article મોટો ખુલાસો/ સારા અલી ખાન ઉપરાંત આ 4 સેલેબ્સ પણ છે રિયાની ‘ડ્રગ્સ સ્ટોરી’નો ભાગ, આ રહ્યા નામ
Next Article દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણમાં પોલીસે ઇન્કમટેક્ષ વિભાગ પાસે કેટલાક દસ્તાવેજોની માંગણી કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up