રાજ્યમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ દિવસેને દિવસે વધુ બગડી રહી છે.સમગ્ર દેશમાં ગુજરાત દિવસેને દિવસે કોરોના વાયરસથી સંક્રમિત લોકોમાં આગળ વધી રહ્યું છે,ત્યારે રાજ્ય સરકારની આરોગ્યલક્ષી કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યુંઆંક પણ ઉંચો છે,જેથી આ તમામ વાતો મીડિયા અને લોકોથી છૂપાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.સરકારે પહેલા મ્યુનિસિપલ કમિશ્નરને હટાવ્યા,ત્યારબાદ સીએમઓ સચિવ અશ્વિની કુમારનું બ્રિફિંગ બંધ કરાવ્યું અને હવે આરોગ્ય સચિવ દ્વારા 24 કલાકનું હેલ્થ બુલેટિન (કોરોના વાયરસ) પણ બંધ કરાવી દીધું છે.
હવે સરકારે માત્ર એક પ્રેસનોટ મોકલીને માહિતી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે,પરંતું આ કાર્યમાં પણ મોટી ગોલમોલ થઈ રહી હોવાની વાત સામે આવી છે.પ્રેસનોટ પર પહેલા કરતા વિચિત્ર રીતે બનાવીનેઆંકડાકીય માહિતી છૂપાવવાનો પ્રયાસ થયો છે,તેમાં પણ પૂરતી માહિતીનો અભાવ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાથી સ્થિતિ દિલ્હી, રાજસ્થાન જેવા રાજ્યો કરતા પણ વધુ ખરાબ છે.ગુજરાતમાં મૃત્યુદર સતત વધી રહ્યો છે,અને આ મૃત્યુદરને રોકવામાં ગુજરાત સરકાર અસફળ નીવડી છે. ત્યરે સરકાર મૃત્યુદર અને ટેસ્ટના આંકડાથી વાસ્તવિકતા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કેટલા મૃત્યુ થયા,દરેક જિલ્લામાં કેટલા કેસ અને કેટલા મોત,કેટલા ટેસ્ટ કરાયા અનેક કેટલા પોઝિટિવ આવ્યા આ દરેક માહિતી પૂરતી આપવામા નથી આવી રહી.સરકાર છુપાવવાના પ્રયાસો કરે છે.આમ,સરકાર ગુજરાતની જનતાને સાચી હકીકત છુપાવવાનો પ્રયાસ કરી રહી છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આજે વલસાડથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. જેમાં આરોપ લાગ્યા છે કે આરોગ્ય વિભાગ દ્વારા આંકડામાં ગોલમાલ કરવામાં આવી રહી છે. કોરોના પોઝિટિવ હોવા છતાં આરોગ્ય વિભાગ પ્રેસનોટમાં આંક઼ા જાહેર કરતું નથી.પ્રેસનોટમાં 24 અને 25 મેના આંકડા 27 મેએ જાહેર કર્યાનો આરોપ આરોગ્યવિભાગ પર લાગ્યા છે.કુલ 10 પોઝિટિવ દર્દીમાંથી માત્ર 4 દર્દીઓ ચોપડે દર્શાવ્યા છે. એક દર્દીની માહિતી આજે જાહેર કર્યાનો આરોપ લાગ્યો છે. હજુ પણ 5 દર્દીની માહિતી છુપાવ્યાનો તંત્ર પર આરોપ લાગતા મોટા પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે. જ્યારે આ વિશે આરોગ્ય અધિકારીને સવાલો પુછતા તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો.
રાજ્યમાં એકબાજુ કપરી સ્થિતિ છે,ત્યારે જાણે આરોગ્ય વિભાગના પેટનું પાણી હલતું નથી તેમ 6 કેસની માહિતી આરોગ્ય વિભાગ છુપાવી રહ્યું છે.25 તારીખે 10 જેટલા કેસ વલસાડમાં પોઝિટિવ આવ્યા હોવા છતાં આરોગ્ય વિભાગે પોતાની ઈજ્જત બચાવવા બધું સમુ સુતરું ચાલી રહ્યો હોવાનો ડોળ કર્યો હતો.
મંગળવારથી ગુજરાતના આરોગ્ય વિભાગે નવા રંગરૂપ સાથે કોરોના અંગેની પ્રેસ નોટ જાહેર કરી છે. નવા રંગરૂપ સાથે જાહેર કરાયેલી પ્રેસ નોટમાં પ્રથમ દિવસે જ ભૂલ સામે આવી છે.ગઈકાલની (મંગળવારે) પ્રેસનોટ મુજબ ભરૂચ, ભાવનગર, છોટાઉદેપુર, ડાંગ અને દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 6 દિવસથી એકપણ કોરોનાનો કેસ ન હોવાનો ઉલ્લેખ કરાયો છે.જોકે આરોગ્ય વિભાગે 24 મેના દિવસે જાહેર કરેલી પ્રેસ નોટમાં ભાવનગરમાં 1 કેસ હોવાની માહિતી આપી હતી.
આમ,વિવિધ જિલ્લાઓના કેસ રજૂ કરવામાં પણ અનેક મતમતાંતર સર્જાઈ રહ્યાં છે.તો ક્યાંક જિલ્લાના અને રાજ્ય સરકારના આંકડા મેચ ખાતા નથી. નવા રંગરૂપ સાથે આવેલી પ્રેસનોટમાંથી વેન્ટીલેટર શબ્દ ગાયબ કરી દેવાયો છે.અગાઉ વેન્ટિલેટર પર રહેલા દર્દીઓની સંખ્યા અંગે લોકોને માહિતી આપવામાં આવતી હતી.