કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કોરોના મહામારીને કારણે 10 લાખ કરોડ પિયાનું બજેટ નુકસાન થશે.39મા રાષ્ટ્રીવ વ્યાપારી મંડળના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરતાં ગડકરીએ કહ્યું કે નિષ્ણાતોના મતે કેન્દ્ર અને રાજ્ય સરકારને કોવિડ-19 મહામારીને કારણે 10 લાખ પિયાની બજેટીય ખાધ આવશે એટલા માટે આપણે અર્થવ્યવસ્થામાં પેટ્રોલ નાખીને તેને દોડતી કરવાની જર છે નહીં તો ઉદ્યોગ અને વ્યવસાય બિલકુલ ઠપ્પ થઈ જશે.ગડકરીએ ઉદાહરણ આપતાં કહ્યું કે કોઈ ખેડૂત પાસે પૈસા ન હોય તો તે મોટરસાઈકલ કેવી રીતે ખરીદશે,તે કેવી રીતે પેટ્રોલનો ઉપયોગ કરશે અથવા હોટેલ-રેસ્ટોરન્ટમાં ખર્ચ કરશે કે નવા કપડાં ખરીદશે ? એટલા માટે નાણાં ગરીબ લોકો સુધી પહોંચવા જોઈએ. તેમણે જોર આપીને કહ્યું કે 115 આકાંક્ષી જિલ્લાને વિકસિત કરવાની જર છે જે સામાજિક અને આર્થિક રીતે પછાત છે.સરકારે નિર્ણય લીધો છે કે દેશના 115 આકાંક્ષી જિલ્લા જે સામાજિક અને આર્થિક રીતે પછાત છે તેની અર્થવ્યવસ્થાને વિકસીત કરવી જોઈએ.ગડકરીએ કહ્યું કે અર્થવ્યવસ્થાને સુધારવી એટલે જ જરી છે જેટલી કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈ લડવી જરી છે.


