By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના કહેર: મુંબઈના 53 પત્રકારોનું રિઝલ્ટ પૉઝિટિવ આવતાં ખળભળાટ મચ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોના કહેર: મુંબઈના 53 પત્રકારોનું રિઝલ્ટ પૉઝિટિવ આવતાં ખળભળાટ મચ્યો
GeneralNational

કોરોના કહેર: મુંબઈના 53 પત્રકારોનું રિઝલ્ટ પૉઝિટિવ આવતાં ખળભળાટ મચ્યો

HM News
Last updated: 21/04/2020 7:41 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોનાના સંકટમાં ફ્રન્ટલાઇન કામ કરી રહેલા ડૉક્ટરો અને પોલીસ બાદ આ જીવલેણ બીમારીના પળેપળના સમાચાર લોકો સુધી પહોંચાડતા પત્રકારોને પણ કોરોનાનું મોટા પાયે સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું છે.મુંબઈના ૫૩ પત્રકારોને આ વાઇરસે સપાટામાં લીધા છે.

ગયા અઠવાડિયે પત્રકાર સંઘ દ્વારા મુંબઈના રિપોર્ટરો અને કૅમેરામેનની કોરોના-ટેસ્ટ કરવા માટે કૅમ્પનું આયોજન કરાયું હતું.૧૬૮ પત્રકારોનાં સૅમ્પલ લેવાયાં હતાં.તેમના રવિવારે આવેલા રિપોર્ટમાં ૧૬૮માંથી ૫૩ પત્રકારોને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જણાયું હતું.મોટા ભાગના પત્રકારો ઇલેક્ટ્રૉનિક મીડિયાના હોવાનું જાણવા મળ્યું હતું.

મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી અમેય ઘોલેએ આપેલી માહિતી મુજબ જે ૫૩ પત્રકારોની કોરોના-ટેસ્ટ પૉઝિટિવ આવી છે તેમને તાત્કાલિક ધોરણે ક્વૉરન્ટીન કરવામાં આવશે.ટીવી જર્નલિસ્ટ અસોસિએશનના અધ્યક્ષ વિનોદ જગદાળેએ આપેલી માહિતી મુજબ ૩૦થી વધુ પત્રકારોને કોરોનાનું સંક્રમણ થયું છે.અસોસિએશન અને મંત્રાલયના પત્રકાર સંઘની વિનંતીથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોની કોરોના-ટેસ્ટ કરવા માટે વિશેષ કૅમ્પનું આયોજન કર્યું હતું.

ચોંકાવનારી અને ચિંતાજનક વાત એ છે કે જે પત્રકારોની ટેસ્ટ પૉઝિટિવ આવી છે તેમને કોરોનાનાં કોઈ લક્ષણ નહોતાં દેખાયાં અને હજી કેટલાક પત્રકારોનો રિપોર્ટ આવવાનો બાકી હોવાથી આ સંખ્યા વધવાની શક્યતા છે.ઇલેક્ટ્રૉનિક મીડિયામાં ન્યુઝ મેળવવા માટે પત્રકારોએ તેમની ટીમ સાથે હૉસ્પિટલથી લઈને જે વિસ્તારમાં કોરોનાના વધારે દરદીઓ હોય એવા સ્થળે પહોંચીને રિપોર્ટિંગ કરવા જવું પડે છે.તેઓ માસ્ક પહેરવાથી માંડીને સૅનિટાઇઝરનો ઉપયોગ કરવા જેવી સાવધાની રાખતા હોવા છતાં તેમને સંક્રમણ થવાનું જોખમ રહે છે જે તેમની ટેસ્ટના રિપોર્ટ પરથી જણાઈ આવે છે.

પક્ષપલટુ ધારાસભ્ય સોમા પટેલ,પ્રવિણ મારૂ અને મંગળ ગાવિતને ભાજપની ટિકિટ નહી, ટિકિટ માટે સચિવાલયના આંટાફેરા.
82 % ભારતીયો વોટ્સએપ છોડવા તૈયાર છે, 91% લોકોએ કહ્યું – વોટ્સએપ પે નો ઉપયોગ નહીં કરે
MSME સેક્ટરને પ્રોત્સાહન આપવા પોલિસીમાં જરૂરી ફેરફાર કરાશે: મોદી
ભાજપે પાંચ રાજ્યોના ચૂંટણી પ્રભારી જાહેર કર્યા, વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ
યુવકની હત્યાનો વીડિયો મોકલી મહિલાને ધમકી આપી “તમારા દીકરા સાનુની આ રીતે હત્યા થશે”
Share This Article
Facebook Email Print
Previous Article વિશ્વમાં ૧,૬૫,૦૦૦ થી વધુના મોતઃ કુલ કેસ ૨૪.૧૫ લાખ
Next Article કોરોના વાઇરસે રાષ્ટ્રપતિ ભવનનાં બારણાં ખખડાવ્યા : એક મહિલાનો ટેસ્ટો પૉઝિટીવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up