નવી દિલ્હી : દેશમાં કોરોનાના સંક્રમણમાં પ્રથમ લહેરમાં બેન્કો મોરેટોરીયમ અને સરકારના પ્રાયોરીટી મુજબની નાણાકીય વ્યવસ્થાઓમાં વ્યસ્ત હતી અને તે બાદ બેન્કોને ઓકટોથી શ્ર્વાસ લેવામાં સમય માંડ મળ્યો અને તેનો એનપીએ સહિતની પ્રક્રિયાને રીઝર્વ બેન્કે સ્ટે કરી હતી તથા ઈન્સોવથી કાનૂનને પણ સુપ્રીમ સ્ટે કર્યા હોવાથી બેન્કોને વસુલાતને મોટો આંચકો લાગ્યો હતો અને હવે બીજી લહેરમાં બેન્કો આવી જતા હાલ ફરી બેન્કોના કામકાજને મોટી અસર થઈ છે તે વચ્ચે એક તરફ બેન્કોમાં બેડ લોનની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે તો બીજી તરફ બેન્કમાં મોનેટરીંગ નબળુ પડતા ફ્રોડમાં પણ મોટો વધારો થયો છે.છેલ્લા 14 માસમાં બેન્કના ઈન્ટરનલ ઓડીટથી લઈને રીઝર્વ બેન્કના ઓડીટને મોટો ફટકો પડયો છે.બેન્કોના કર્મચારીમાં કોરોના સંક્રમણમાં થતા બેન્કોની રોજીંદી કામગીરી મોટાપાયે ખોરવાઈ છે.હાલ બેન્કોના કામકાજના દિવસો પણ ઘટી ગયા છે અને આવી બેન્કોમાં ફીઝીકલ વેરીફીકેશનના આધારે ફ્રોડના કેસમાં વધારો થયો છે.એક સરફ સરકાર રીઝર્વ બેન્કનો સુપરવાઈઝરી કામકાજનું પ્રમાણ વધારી રહી છે અને હવે નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ તથા સહકારી ક્ષેત્રની બેન્કો પણ રીઝર્વ બેન્કના નિયંત્રણ હેઠળ આવી ગઈ છે પણ તેને પહોંચી વળવા પુરતુ માળખુ તૈયાર નથી.ટ્રેન્ડ એન્ડ પ્રોગ્રેસ ઓફ બેન્કીંગ ઈન ઈન્ડીયાના રીપોર્ટ મુજબ 2019-20માં બેન્ક ફ્રોડ 159% વધ્યા છે અને કુલ રૂા.1.85 લાખ કરોડની રકમ તેમાં ફસાઈ છે. 2015-16થી બેન્કોએ તેની મૂડી પેટે રૂા.3.56 કરોડ નાખ્યા છે જેમાં પડઘાનો બેન્કોના ફ્રોડમાં ગયા છે.રીઝર્વ બેન્કનો ફાયનાન્સીયલ સ્ટેબીલીટી રીપોર્ટ ડીસે.
2019 કહે છે કે 2000-2001 અને 2017-18ના સમયગાળામાં જે બેન્ક ફ્રોડ નોંધાયા હતા તેના કરતા 2018-19 અને 2019-20ના સમયગાળામાં 90% વધી ગયા છે.બેન્કોમાં ફ્રોડ જો તે સમયે જ ઝડપાઈ જાય તો પછી બીજા ફ્રોડની હિમ્મત ઘટી જાય છે.બેન્કોમાં 2021માં સાયબર ફ્રોડ પણ વધ્યા છે.બેન્કોની ફ્રોડની તમામ પદ્ધતિ છે જ નહી.બેન્કો સ્થાનિક પોલીસ કે સીબીઆઈને જવાબદારી સોંપી છે.બેન્કો સાથે છેતરપીંડી કરતી સંગઠીત ગેંગની માહીતી પણ બેન્કો જાહેર કરતી નથી.

