By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના : ગુજરાત સરકારની નાણાકીય સ્થિતિ લથડી : સરકારી તિજોરી ખાલી થતા 2100 કરોડ ઉધાર લીધા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Breaking News > કોરોના : ગુજરાત સરકારની નાણાકીય સ્થિતિ લથડી : સરકારી તિજોરી ખાલી થતા 2100 કરોડ ઉધાર લીધા
Breaking News

કોરોના : ગુજરાત સરકારની નાણાકીય સ્થિતિ લથડી : સરકારી તિજોરી ખાલી થતા 2100 કરોડ ઉધાર લીધા

HM News
Last updated: 16/04/2020 9:00 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ તા. ૧૬ : ઘણા વર્ષો પછી પહેલીવાર એવું બન્યું છે કે રાજય સરકારે નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂપિયા ઉધાર લીધા હોય.કોવિડ-૧૯ના સંકટના કારણે સરકાર પાસે ભંડોળ ખૂટી પડ્યું છે,પરિણામે નાણાકીય સંસ્થાઓની મદદ લેવી પડી છે.ગુજરાત સરકારે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં વાર્ષિક ૭.૫%ના વ્યાજે ૨,૧૦૦ કરોડ રૂપિયા ઉછીના લીધા છે.હવે લોકડાઉન ૩ મે સુધી લંબાવવામાં આવ્યું છે ત્યારે રાજય સરકાર બેંકો પાસેથી પણ રકમ ઉધાર લઈ શકે છે.જેથી કર્મચારીઓને પગાર અને પેન્શનધારકોને પેન્શન ચૂકવી શકાય.ઉપરાંત કોરોના વાયરસની મહામારીના કારણે જાહેર કરેલા રાહત કાર્યો પાછળ ખર્ચ કરી શકાય તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.જો કે,સરકારને ૨૦ એપ્રિલથી આંશિક રાહત મળશે કારણકે અમુક ઈન્ડસ્ટ્રીઓ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.

સરકારના મહત્વના સૂત્ર તરફથી મળેલી જાણકારી પ્રમાણે,માર્ચ મહિનામાં વિવિધ સ્ત્રોતો તરફથી રેવન્યૂ મેળવવામાં નિષ્ફળ રહ્યા.પરિણામે સરકારને ૭.૫% જેટલા ઊંચા વ્યાજદરે ૨,૧૦૦ કરોડ રૂપિયા લેવા પડ્યા કારણકે લોકડાઉનના લીધે બીજા રાજયો પણ ભંડોળ મેળવવાની હોડમાં હતા.નસીબજોગે રાજય સરકારને ૧૬૦૦ કરોડની આસપાસ જીએસટી વળતર મળ્યું હોવાથી વિવિધ રાહત માપદંડો માટે વધુ રૂપિયાની જરૂર નહીં પડે.જો કે,મહિનાના અંતે પગાર અને પેન્શન ચૂકવવા માટે સરકારને રૂપિયા ઉધાર લેવા પડશે.તેમ ટાઇમ્સ ઉમેરે છે.

દર મહિને રાજય સરકારને આશરે ૫ લાખ કર્મચારીઓને પગાર ચૂકવવા માટે ૩,૧૫૦ કરોડ રૂપિયાની જરૂર પડે છે.ઉપરાંત દર મહિને પેન્શન ચૂકવવા માટે સરકારને વધારાના ૧,૫૦૦ કરોડ રૂપિયાની જરૂર પડે છે.સૂત્રએ જણાવ્યું, ચાલુ મહિનાના અંત સુધીમાં રાજય સરકારને ૪,૬૫૦ કરોડથી ૫,૦૦૦ કરોડ રૂપિયા પગાર,પેન્શન ચૂકવવા અને અન્ય રોજિંદા ખર્ચ માટે ઉધાર લેવા પડશે.દરમિયાન રાજય સરકાર આર્થિક ઉપાર્જનના બીજા વિકલ્પો પણ શોધી રહી છે.ગુજરાત સરકારે રાજયની માલિકીના મોટા PSUs (પબ્લિક સેકટર યુનિટ્સ)ને રિઝર્વ ફંડમાંથી ૩૦% રકમ સ્પેશિયલ કેસમાં આપવાની વિનંતી કરી છે.એક સરકારી સૂત્રના કહેવા પ્રમાણે,ખાસ જરૂરિયાત ઊભી થાય તો રાજય સરકાર કોઈ પણ PSUને ફંડ આપવા હુકમ કરી શકે છે.વિવિધ PSU તરફથી રાજય સરકારને આશરે ૫૦૦ કરોડ રૂપિયા મળી શકે છે.

વિવાદાસ્પદ અને અગાઉ વલસાડ ખાતે મહીલા છેડતી પ્રકરણમાં સંડોવાયેલા તાપી DEOએ 10 લાખ માંગ્યા : ACB ની ટ્રેપની શંકા જતા રકમ ન સ્વીકારી
જો પોલીસે ભડકાઉ નિવેદન કરનારાઓને પકડયા હોત તો તોફાનો વકર્યા નહોત : સુપ્રિમ
દવા બનાવતી સનફાર્મા કંપનીના 14 કર્મચારીને કોરોના, વહીવટીતંત્રે સનફાર્મા કંપની જ બંધ કરાવી
ગુજરાતીઓ માટે ખુશખબર, 66 લાખ લોકોના ખાતામાં જમા થશે રૂપિયા 10000 : અશ્વિનિ કુમાર
દેશનો પ્રથમ ૫જી ફોન રિયલમી એક્સ ૫૦ પ્રો લોન્ચ થયો
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતમાં ચોક્કસ નિયમો સાથે ૨૦મીથી ઈન્ડસ્ટ્રીઅલ એકમો,ફૂડ પ્રોસેસિંગ યુનિટ ધમધમતા થશે
Next Article ગુજરાતમાં ખેતી, ઉદ્યોગ, બાંધકામ વગેરેમાં શરતી છુટછાટનો માસ્ટરપ્લાન તૈયાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up