– જીએસટી અને વેટમાં મોટો માર,બજેટના અંદાજો ખોરવાશે: પગાર કરવા સરકારને દર મહિને ૬૦૦૦ કરોડ જોઇએ,ગયા વર્ષના અને ચાલુ વર્ષના બજેટને ગંભીર અસર થવાની દહેશત
અમદાવાદ : કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે રાય સરકારના આવકમાં ચોંકાવનારો ઘટાડો નોંધાયો છે.સરકારની કઇ આવકમાં ઘટાડો થયો છે તેનું સર્વેક્ષણ કરવાના આદેશ નાણા વિભાગને આપી દેવામાં આવ્યા છે ત્યારે એક અંદાજ પ્રમાણે માર્ચથી મે મહિના સુધીમાં સરકારે કુલ આવકમાં ૧૪,૦૦૦ કરોડ ગુમાવ્યા છે.નાણા વિભાગને સીધો ફટકો વેલ્યુ એડેડ ટેકસ (વેટ) અને ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)માં પડો છે.
નાણા વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતમાં લોકડાઉન અને કોરોના સંક્રમણના વધતા કેસો વચ્ચે સરકારના બે બજેટને ગંભીર અસર થઇ છે. ૨૦૧૯-૨૦ના બજેટના અંતિમ નાણાકીય માસ માર્ચમાં સરકારને કરવેરાની આવક વધારે મળતી હોય છે ત્યારે તે સમયે લોકડાઉન અને કોરોના સંક્રમણ શ થતાં આવકમાં ૪૦ ટકાનું માસિક નુકશાન થયું છે.બીજી તરફ નવા વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટના એપ્રિલ મહિનામાં ૬૫ ટકા અને મે મહિનામાં અત્યાર સુધીમાં ૫૫ ટકા જેટલું નુકશાન છે.
રાયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતીન પટેલે થોડાં સમય પહેલાં કહ્યું હતું કે કોરોના અને લોકડાઉનના કારણે સરકારની વેરાની આવકમાં ગંભીર અસર પેદા થઇ છે છતાં સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના પગાર કરી રહી છે.સરકારની એવી ઘણી આવકો છે કે જે શૂન્ય છે.તેમણે ઇશારો કર્યેા હતો કે આ વર્ષે વેટ અને જીએસટીની આવકમાં મોટો ઘટાડો નોંધાઇ શકે છે.વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે જો આ મહામારી વધુ સમય સુધી ચાલશે તો સરકારની તિજોરી પર અકલ્પ્ય નુકશાન થવાની ભિતી સેવાઇ રહી છે,કારણ કે ચાલુ વર્ષના બજેટના તમામ અંદાજો ખોરવાઇ જવાની શકયતા દેખાઇ રહી છે.સરકાર આ વર્ષે નવી યોજનાઓ શ કરી શકશે નહીં.સરકારે ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં પણ ખૂબ નુકશાન કયુ છે.કેન્દ્રીય કરવેરામાં રાયને ૫૮૧૫ કરોડ પિયા ઓછા મળ્યા છે જયારે રાજ્યના કરવેરામાં ૧૭૯૨ કરોડ પિયાનો ઘટાડો થયો છે.બીજી તરફ એક વર્ષમાં વસૂલવા પાત્ર બાકી ટેકસની રકમમાં ૧૨૭૦૮ કરોડનો વધારો થયો છે.રાજ્ય સરકાર વિવાદિત તેમજ બિન વિવાદિત ૪૩૦૦૦ કરોડ પિયા વસૂલી શકી નથી.
નાણા વિભાગના આંકડા પ્રમાણે રાજ્ય સરકારે ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષના અંતે ૧,૩૬,૪૪૭ કરોડ પિયા મહેસૂલી આવક તેમજ ૪૬,૭૬૬ કરોડ પિયાની મૂડીઆવક મેળવવાનો લયાંક રાખ્યો છે.આમ કુલ માર્ચ ૨૦૨૧ના અંતે ગુજરાત સરકારને ૧,૮૩,૨૧૩ કરોડ પિયા આવક થવાનો અંદાજ હતો પરંતુ કોરોના સંક્રમણના કારણે સરકારને ૧૪,૦૦૦ કરોડના નુકશાન થવાનો અંદાજ છે.જો કે હજી નાણા વિભાગના સર્વેક્ષણ પછી ચોક્કસ આંકડો બહાર આવી શકે છે.લોકડાઉનના સમયમાં એવી કેટલીક આવકો છે કે જે બિલકુલ શૂન્ય છે.
ગુજરાત સરકારને સૌથી મોટું નુકશાન જીએસટી અને વેલ્યુ એડેડ ટેકસમાં છે. એ ઉપરાંત સ્ટેમ્પડુટી તેમજ જમીન મહેસૂલની આવક છે. વીજળી પરના વેરામાં સૌથી વધારે ફટકો ઉધોગજૂથો બધં હોવાથી પડો છે.રાજ્યમાં નવા વાહનોની નોંધણી થતી નથી.રિયલ એસ્ટેટ સંપૂર્ણ લોકડાઉન છે તેથી સ્ટેમ્પડુટી અને નોંધણીની આવક બધં છે.આ બન્ને સેગમેન્ટમાં ૯૦ ટકાનો ઘટાડો છે.સિનેમાગૃહો બધં હોવાથી મનોરંજન કરની આવક ઘટી છે.સરકારને કર્મચારીઓ અને પેન્શનરોના પગાર તેમજ પેન્શનના નાણાં ચૂકવવા બજાર લોન પર આધાર રાખવો પડે તેમ છે,કારણ કે આ બન્નેનો આંકડો ૬૦૦૦ કરોડ પિયા થાય છે.
કેન્દ્ર પાસે કોરોના રાહત પેકેજની દરખાસ્ત કરાશે
રાજ્યના નાણા વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે રાયોને દર બે મહિને જીએસટી કોમ્પન્શેસનનો હો ચૂકવવાનો હોય છે પરંતુ ગયા ઓકટોબર અને નવેમ્બરથી કેન્દ્રની વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે.નાણા વિભાગ જૂન-જુલાઇ મહિનામાં રાજ્યના તમામ વિભાગો પાસેથી આવક અને નુકશાનના આંકડા મંગાવવાની શઆત કરશે.સરકાર કોરોના સંક્રમણ અને લોકડાઉન પેટે થયેલા નુકશાનને સરભર કરવા માટે કેન્દ્ર સરકાર પાસે રાહત પેકેજની માગણી કરે તેવી સંભાવના છે.
કયા વિભાગોના ખર્ચમાં અકુંશ મૂકી શકાય તેનો અભ્યાસ થશે
બીજી તરફ એવી શકયતા પણ જોવામાં આવી રહી છે કે,ગુજરાતના ૨૦૨૦-૨૧ના વર્ષના બજેટમાં વિવિધ વિભાગોમાં ફાળવેલી કઇ જોગવાઇનો ઉપયોગ કોરોના સંક્રમણને અટકાવવા માટે કરી શકાય તેમ છે તેનો અભ્યાસ શરુ કરાશે,કારણ કે કોરોના સામે લડવા માટે રાયના એક વર્ષના આરોગ્યનું બજેટ પણ ઓછું પડી શકે છે.સૌથી મોટો પ્રશ્ન સરકારની વેરાની આવકનો છે.જો વેરાની આવકોમાં ઘટાડો થશે તો નાણાકીય વર્ષના અંતે એટલે કે ૩૧મી માર્ચ ૨૦૨૧માં બજેટમાં મોટો ફરક આવશે.
ખર્ચ કાઢવા સરકાર માર્કેટ બોરોઈંગ કરે તેવી સંભાવના
ગુજરાતના ૨૦૨૦-૨૧ના બજેટનું કદ ૧.૧૭ લાખ કરોડ પિયા છે.અનુભવે જોવામાં આવ્યું છે કે સરકારના વિભાગો વર્ષની આખર સુધીમાં પું બજેટ ખર્ચ કરી શકતા નથી.આ વખતે કોરોના સંક્રમણમાં પણ નવી યોજનાઓ શ નહીં થઇ શકવાથી વિવિધ વિભાગોના બજેટમાં પુરતો ખર્ચ થઇ શકે તેમ નથી. એવી દહેશત છે કે જૂન અને જુલાઇ મહિનામાં પણ કોરોના સંક્રમણ વધશે તેથી સરકારને આરોગ્ય સુવિધાઓ માટે વધારાના આર્થિક ફંડની જરિયાત રહેશે.પહેલા નાણાકીય કવાર્ટરમાં રાજ્ય સરકારને કરવેરામાં મોટો ફટકો પડે તેમ છે તેથી સરકારને માર્કેટ બોરોઈંગ કરીને હિસાબો સરભર કરવા પડશે.
માર્ચથી મે સુધીની આવકમાં ઘટાડો…
વિવિધ ટેકસ —– રકમ (કરોડમાં)
આવક અને ખર્ચ પર કર —– ૭
જમીન મહેસૂલ —– ૪૫૦
સ્ટેમ્પડુટી અને નોંધણી —– ૫૦૦
રાજ્ય આબકારી —– ૨૫
રાજ્ય જીએસટી —– ૭૫૦૦
વેચાણવેરો-વેટ —– ૩૫૦૦
વાહનો પર કર —– ૫૦૦
માલ-ઉતા કર —– ૨૦
વીજળી પરનો વેરો —– ૬૫૦
મનોરંજન કર —– ૯
અન્ય કર —– ૬5