કોરોના મહામારી વચ્ચે દેશમાં 84 ટકા પરિવારોની આવક ઘટી

HM News
2 Min Read
  • ગયા વર્ષે દેશમાં અબજોપતિઓની સંખ્યા વધીને 142 થઈ ગઈ

 દિલ્હી : ભારતમાં અસમાનતા ચિંતાજનક રીતે વધી રહી છે. હાલના એક રિપોર્ટ મુજબ,ગયા વર્ષે દેશમાં અબજોપતિઓની સંખ્યા વધીને 142 થઈ ગઈ.આ અબજોપતિઓ પાસે દેશની 40 ટકા વસ્તીથી વધુ સંપત્તિ છે.બીજી તરફ,2021 દરમિયાન 84 ટકા પરિવારોની આવકમાં ઘટાડો થયો છે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક સમિટ પહેલા જાહેર કરવામાં આવેલા ઓક્સફેમના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.રિપોર્ટ અનુસાર,2021 દરમિયાન ભારતમાં અબજોપતિઓની સંખ્યા એક વર્ષ પહેલા 102થી વધીને 142 થઈ ગઈ છે.આ સમયગાળા દરમિયાન 142 અબજપતિઓની કુલ સંપત્તિ વધીને લગભગ 720 બિલિયન ડોલર થઈ ગઈ છે.આ દેશની 40 ટકા ગરીબ વસ્તીની કુલ સંપત્તિ કરતાં વધુ છે.

દેશમાં અબજોપતિઓની સંખ્યા અને સંપત્તિમાં એવા સમયે વધારો થયો જ્યારે લોકો મહામારીની બીજી લહેરમાંથી પસાર થઇ રહ્યાં હતાં. આ દરમિયાન લાખો લોકોના મોત થયા અને કરોડો લોકોની આર્થિક સ્થિતિ બગાડી છે. મોટી સંખ્યામાં લોકોએ તેમની નોકરી ગુમાવી હતી અને તેમના ધંધા પર ખરાબ અસર પડી હતી.રિપોર્ટ અનુસાર, રોગચાળાને કારણે 2021માં ભારતના 84 ટકા પરિવારોની આવકમાં ઘટાડો થયો છે.

ઓક્સફેમના રિપોર્ટ ‘Inequality Kills’ અનુસાર,ભારત હવે અબજોપતિઓની સંખ્યાના સંદર્ભમાં ટોચના 3 દેશોમાંથી એક બની ગયું છે.હવે ભારત કરતાં અમેરિકા અને ચીનમાં અબજોપતિઓ વધુ છે.બીજી તરફ, દેશની 50 ટકા ગરીબ વસ્તીનો રાષ્ટ્રીય સંપત્તિમાં માત્ર 6 ટકા હિસ્સો છે.આ દર્શાવે છે કે ભારતમાં અસમાનતા કેવી રીતે ચિંતાજનક રીતે વધી રહી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *