By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના-લોકડાઉનથી આર્થિક ફટકો : અખબારોને જંગી નુકસાન : સરકારી મદદની જરૂર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > કોરોના-લોકડાઉનથી આર્થિક ફટકો : અખબારોને જંગી નુકસાન : સરકારી મદદની જરૂર
BusinessGeneralNational

કોરોના-લોકડાઉનથી આર્થિક ફટકો : અખબારોને જંગી નુકસાન : સરકારી મદદની જરૂર

HM News
Last updated: 01/05/2020 11:06 AM
HM News
5 years ago
Share
SHARE

– ૪પ૦૦ કરોડનું નુકસાનઃ આવું ચાલ્યું તોઃ નુકસાન વધીને ૧પ૦૦૦ કરોડ થઇ જશેઃ ન્યુઝપ્રિન્ટ પરની પ% આયાત ડયુટી હટાવવા-બ વર્ષ ટેક્ષ માફ કરવા-સરકારી વિજ્ઞાપનોના રેટ પ૦% વધારવા-બજેટ ર૦૦% વધારવા સરકારને અનુરોધ

નવી દિલ્હી તા. ૧ : લોકડાઉન દરમ્યાન સૌથી વધુ પ્રભાવિત વ્યવસાયોમાં ન્યુઝ પેપર ઇન્ડસ્ટ્રી પણ છે.છેલ્લા બે મહિના દરમ્યાન ઘર આંગણાની ન્યુઝ પેપર ઇન્ડસ્ટ્રીને રૂ.૪૦૦૦ થી ૪પ૦૦ કરોડનું નુકશાન થયું છે.૮૦૦ જેટલા અખબારોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ઇન્ડીયન ન્યુઝ પેપર સોસાયટી (INS) એ જણાવ્યું છે કે,આર્થિક ગતિવિધી સાવ ઠપ્પ થઇ ગઇ છે.અને અખબારોને વિજ્ઞાપનો મળતી નથી.એવામાં જો સરકાર તરફથી કોઇ મજબુત પ્રોત્સાહન નહિ મળે તો અખબારોને થનારૂ નુકસાન આવતા ૬ થી ૭ મહિના સુધી ચાલુ રહી શકે છે.એટલે કે વધારાનું રૂ.૧ર૦૦૦ થી ૧પ૦૦૦ કરોડનું નુકસાન થઇ શકે છે.૩૦ લાખ લોકોને રોજગારી આપતી ન્યુઝ પેપર ઇન્ડસ્ટ્રીને ડૂબતી બચાવવા માટે તત્કાલ પગલાની માંગ થઇ છે.જેમાં ન્યુઝ પ્રિન્ટ પર પ ટકાની ઇમ્પોર્ટ ડયુટી હટાવવા અને ર વર્ષ સુધી ટેક્ષ માફ કરવા જેવી જરૂરી માંગણીઓ છે.

અત્રે એ નોંધનીય છે કે અખબારોની કોસ્ટનો મોટો હિસ્સો ન્યુઝ પ્રિન્ટ પર ખર્ચાય છે ગયા વર્ષે સરકારે તેના પર ૧૦ ટકાની કસ્ટમ ડયુટી લગાડી હતી. આ પહેલા તે ડયુટી ફ્રી હતી.અખબારો સહિત બીજા ઉદ્યોગોને અપાતી રાહતો વચ્ચે INS એ કેટલીક વધુ જરૂરીયાતો ઉપર ભાર મૂકયો છે.જે હેઠળ સરકારી વિજ્ઞાપનોના રેટમાં પ૦ ટકાનો વધારો કરવામાં આવે અને પ્રિન્ટ મિડીયા પર બજેટ ખર્ચ ર૦૦ ટકા વધારવામાં આવે.સાથોસાથ વિજ્ઞાપનોનું પેન્ડીંગ ચુકવણુ પણ તત્કાલ કરવામાં આવે.રાજય સરકારોને પણ સૂચન થયું છે કે તે પણ આ દિશામાં વિચારે. INSના પ્રમુખ શૈલેષ ગુપ્તાએ કહયું છે કે રોકડનું સંકટ અને ખોટને કારણે કર્મચારીઓના પગાર અને વેન્ડરને ચુકવણીમાં મુશ્કેલી પડી રહી છે. આ ઉદ્યોગમાં ૯ થી ૧૦ લાખ સીધે સીધી નોકરી કરે છે અને લગભગ ર૦ લાખ લોકોને અપ્રત્યક્ષ રીતે આજીવીકા આપે છે. INS એ સરકારને કહયું છે કે અખબારો ૩ તરફથી સંકટમાં ઘેરાયેલા છે. વાયરસ – વિજ્ઞાપનોની ઘટના અને ન્યુઝપેપર ઉપર કસ્ટમ ડયુટી જેના કારણે અનેક નાના-મધ્યમ અખબારો બંધ થઇ ગયા છે તો અનેકે પાના ઘટાડી દીધા છે જરૂરી સેવા છતાં અખબારો રોજ ખોટ સહન કરી રહ્યાં છે.INS એ કહયું છે કે,મહામારી દરમ્યાન અખબારો પોતાનું કર્તવ્ય મજબુતીથી નિભાવે છે સંપાદીય, પ્રિન્ટીંગ, પ્રોડકશનના લોકો અને વિતરકો ખુદને જોખમમાં મુકી કામ કરી રહ્યા છે.આવું એટલા માટે કે લોકો ઘરોમાં સુરક્ષિત રહે અને તેમની પાસે સાચી અને સચોટ માહિતી આવે.

અમેરિકી વકીલે કોરોના ના પ્રકોપ માટે ચીન વિરુદ્ધ કર્યો 20 મિલિયન ડૉલરનો કેસ
સત્ય પર આધારિત ફિલ્મ ધ કેરલા સ્ટોરીને લઇ શશિ થરૂરેને લાગી આવ્યું ,કહ્યું કે આ અમારા કેરળની સ્ટોરી નથી…
ભ્રષ્ટાચારને લઇ ઝીરો ટોલરન્સ પોલિસી સાથે રાજ્યમાં ચિંતન શિબિર યોજાશે
મુંબઈમાં 600 પોલીસનો કોરોના ટેસ્ટ : 422 નેગેટિવ ને 15 પૉઝિટિવ
ક્રૂડતેલ ફરી ઉંચકાયું : રશિયાના ઓઈલમાં ચીનની ખરીદી વધી હોવાના નિર્દેશો
Share This Article
Facebook Email Print
Previous Article સરકારને ફટકો…GST કલેકશનમાં જંગી ગાબડુ
Next Article અમદાવાદ,સુરત સહિત રેડ ઝોનમાં આવતા નવ જિલ્લામાં ત્રીજી મે પછી પણ નિયંત્રણો ચાલુ રહેશે?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up