By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના વિકરાળ બની રહ્યો છે : દેશનો મૃત્યુઆંક ૧૦૮૦ : સંક્રમિતો ૩૩૦૦૦ ઉપર : ૮૦૦૦થી વધુ સાજા થયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોના વિકરાળ બની રહ્યો છે : દેશનો મૃત્યુઆંક ૧૦૮૦ : સંક્રમિતો ૩૩૦૦૦ ઉપર : ૮૦૦૦થી વધુ સાજા થયા
GeneralNational

કોરોના વિકરાળ બની રહ્યો છે : દેશનો મૃત્યુઆંક ૧૦૮૦ : સંક્રમિતો ૩૩૦૦૦ ઉપર : ૮૦૦૦થી વધુ સાજા થયા

HM News
Last updated: 30/04/2020 9:35 AM
HM News
5 years ago
Share
SHARE

– ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં જ ૩૨ લોકોના મોત : દેશમાં ૬૮નો ભોગ લેવાયો

નવી દિલ્હી તા. ૩૦ : ગઇકાલે ભારતમાં વધુ ૬૮ લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ગયા છે,જયારે એકલા મહારાષ્ટ્રમાં ૩૨ના મોત થયા છે. આ મહારાષ્ટ્ર્માં એક દિવસમાં થયેલા મૃત્યુની મોટી સંખ્યા છે.જયારે દેશમાં કુલ ૧૦૮૦ના મોત થઈ ગયા છે.એક દિવસમાં વધુ ૧૬૩૫ કોરોના પોઝિટિવ કેસમાં વધારો થયો છે.દેશમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો ૩૩,૦૪૫ પર પહોંચી ગયો છે.જયારે એક સારા સમાચાર એ પણ છે કે કુલ ૮૦૦૦ કરતા વધુ લોકો એટલે કે ૨૪% દર્દીઓ સાજ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.

દિલ્હીમાં કોરોના વાયરસના કારણે પાછલા એક દિવસમાં ૨ લોકોના મોત સાથે ૨૦૬ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.જયારે હેલ્થ વર્કર્સ પણ કોરોના વાયરસના સકંજામાં આવવાનું યથાવત છે અહીં AIIMSની એક નર્સ અને ત્રણ અન્ય સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા છે.જયારે ગુજરાતમાં વધુ ૧૬, મધ્યપ્રદેશમાં ૧૦,રાજસ્થાનમાં ૩,તામિલનાડુ અને બાંગ્લાદેશમાં ૨-૨ અને કર્ણાટકામાં ૧નું કોરોના વાયરસના કારણે મોત થયું છે.મહારાષ્ટ્રમાં સળંગ બીજા દિવસે ૩૦થી વધુ લોકોનો કોરોનાએ ભોગ લીધો છે,જયારે ૫૯૭ નવા કેસ નોંધાયા છે.મુંબઈમાં કોરોના વાયરસના કેસ ૬,૬૪૪ પર પહોંચ્યા છે અને મહારાષ્ટ્રનો કુલ આંકડો ૧૦ હજારની નજીક પહોંચી ગયો છે.મહારાષ્ટ્રમાં ૩૨ લોકોના કોરોના વાયરસથી મોત થયા જેમાંથી ૨૬ મુંબઈના છે.રાજયમાં અત્યાર સુધીમાં કુલ ૪૩૨ લોકોના મોત થઈ ગયા છે જયારે મુંબઈમાં ૨૭૦ના મોત નોંધાયા છે.મહારાષ્ટ્રમાં કોરોના પીડિતોનો આંકડો ૯૯૧૫ થયો છે. સોમવારથી પહેલાની સરખામણીમાં આંકડાઓમાં ઘટાડો નોંધાયો છે.આ તરફ રાજસ્થાનમાં નવા ૭૪ કેસ નોંધાયા છે,એક દિવસ નોધાયેલા ૧૦૨ પોઝિટિવ કેસ બાદ ઘટાડો નોંધાયો છે.રાજયમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૨૪૩૮ થયો છે.બુધવારે જયપુરમાં વધુ ત્રણના મોત સાથે કુલ મૃત્યુઆંક ૫૫ પર પહોંચી ગયો છે.તામિલનાડુમાં બીજા દિવસે પણ ત્રણ આંકડામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને તેમાંથી મોટાભાગના કેસ ચેન્નાઈના છે, રાજયમાં નોંધાયેલા નવા ૧૦૪ કેસમાંથી ૯૪ કેસ ચેન્નાઈના છે.વધુ બેના મોત સાથે રાજયમાં કુલ મૃત્યુંઆંક ૨૭ થયો છે.જેમાં ૬૫ વર્ષના કેન્સર પીડિત અને ૨૬ વર્ષની મહિલાનું મોત નોંધાયું છે.આ તરફ આંધ્રપ્રદેશમાં ૭૩ નવા કેસ નોંધાયા છે અને રાજયોનો કુલ પોઝિટિવ કેસનો આંક ૧૩૩૨ થયો છે. આ તરફ બિહારમાં ૩૭ નવા કેસ સાથે કુલ કેસ ૪૦૩ થયા છે.દિલ્હીથી આવેલા ૫ પ્રવાસી મજૂરો કોરોના પોઝિટિવ આવ્યા છે.આ તરફ ઝારખંડમાં સળંગ બીજા દિવસે વધુ ૨ કેસ સાથે રાજયનો કુલ આંકડો ૧૦૭ થયો છે.

હરિયાળુ ગ્રામ યોજના અંતર્ગત સુરત જિલ્લાના 8 ગામોમાં 3200 રોપાનું વાવેતર કરાયું
રાજ્યના ગૃહ વિભાગનો છબરડો, 5 વર્ષ પહેલા મૃત્યુ પામેલા PSIની કર નાંખી બદલી
સરકાર મંદિરો પર કબજો છોડે નહીં તો ખેડૂતો જેવું આંદોલન કરીશું : સાધુ-સંતો
PFI પર ફરી એક્શન : 8 રાજ્યોમાં 200 સ્થળો પર દરોડા, 170ની અટકાયત
સાબરમતી ગેસ દ્વારા PNG અને CNGના ભાવમાં ઘટાડો
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના સંકટ પછી રોકાણકારો બેંક FD તરફ વળ્યા
Next Article પ્રજા લાચાર… લોકડાઉનમાં ધુણ્યો મોંઘવારીનો રાક્ષસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up