કોરોના સંકટની વચ્ચે મમતા-અમિત શાહ વચ્ચે ટકરાવ: કેન્દ્રની ટીમ માટે દીદીએ કહ્યું ‘નો એન્ટ્રી’

HM News
1 Min Read

કોલકતા ; કોરોનાએ દેશમાં કહેર વર્તાવ્યો છે.તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર મળીને આ સંકટનો સામનો કરી રહી છે,બીજી તરફ રાજનીતિ પણ ચાલુ છે.કેન્દ્ર સરકારે પ.બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમ (IMCT) મોકલવાનો નિર્ણય લીધો છે.આ ટીમ રાજ્યમાં કોરોના વાયરસની જમીની સ્થિતિ અને લૉકડાઉન ઉલ્લંઘનની ફરિયાદો પર પોતાની રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલશે.જોકે,કેન્દ્ર સરકારે આ પગલાનો પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કડક વિરોધ કર્યો છે.મમતા બેનર્જીએ સોમવારે ટ્વિટ કરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને આ ટીમોને રાજ્યમાં મોકલવા માટે સ્પષ્ટતા કરવા કહ્યું.મમતા બેનર્જીએ લખ્યું,અમે કોરોના મહામારીની વિરુદ્ધ કેન્દ્ર સરકારના સહયોગ અને સલાહનું સ્વાગત કરીએ છીએ.જોકે કેન્દ્ર સરકારે પ.બંગાળ સહિત કેટલાક અન્ય રાજ્યોમાં આઇએમસીટીને મોકલવાનો જે નિર્ણય લીધો છે,તેનો ઉદ્દેશ્ય સમજની બહાર છે.કેન્દ્રે પત્રમાં કહ્યું કે એ સ્પષ્ટ છે કે પ.બંગાળના કોલકાતા,હાવડા,પૂર્વી મેદિનીપુર,ઉત્તરી 24 પરગના,દાર્જીલિંગ,કેલિમપોંગ અને જલપાઇગુડીમાં સ્થિતિ ખરાબ છે.મમતા બેનર્જીએ વિરોધ દર્શાવતા કહ્યું કે હું પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને રાજ્યના આ વિસ્તારોની પસંદગી કરવાનો આધાર પૂછ છું. મને એ કહેતા અફસોસ થઇ રહ્યો છે કે વિના કોઇ સ્પષ્ટ કારણે હું તેની મંજૂરી નહીં આપી શકું,કેમકે આ સંઘની ભાવનાની વિરુદ્ધ છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *