અમદાવાદ : શુક્રવારે કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં ગુજરાતમાં કોરોનાના નવા ૬૩૬ કેસ નોંધાયા હતા.અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં સૌથી વધુ ૨૧૮ કેસ નોંધાયા હતા.સુરત કોર્પોરેશન વિસ્તારમાં ૮૬, વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના નવા ૫૭ કેસ નોંધાયા હતા.અમદાવાદ શહેરમાં વધુ ચાર સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.
સાત જૂલાઈએ રાજયમાં કોરોનાના ૭૧૭ કેસ નોંધાયા હતા.શુક્રવારે દૈનિક કેસમાં ઘટાડો થતાં નવા ૬૩૬ કેસ નોંધાયા હતા.રાજયમાં કોરોનાથી એક પણ મોત થયુ નથી.કુલ ૬૨૨ દર્દી સાજા થયા હતા.હાલમાં રાજયમાં કોરોનાના કુલ ૩૮૯૩ એકિટવ કેસ છે.પાંચ દર્દી વેન્ટિલેટર ઉપર છે.જયારે ૩૮૮૮ સ્ટેબલ હાલતમાં છે.અમદાવાદ શહેરમાં ૨૧૨ અને ગ્રામ્યમાં નવા છ કેસ નોંધાયા હતા.સુરત ગ્રામ્યમાં કોરોનાના નવા ૩૮ જયારે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં ૩૦ અને ગ્રામ્યમાં નવા ૨૮ કેસ નોંધાયા હતા.ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં ૨૬, ગ્રામ્યમાં ચાર કેસ નોંધાયા હતા.વલસાડમાં ૧૬,કચ્છમાં નવા ૧૫ કેસ નોંધાયા હતા.ભરુચ અને નવસારીમાં અનુક્રમે કોરોનાના તેર-તેર કેસ નોંધાયા હતા.જયારે પાટણ અને રાજકોટમાં અનુક્રમે ૧૧-૧૧ કેસ નોંધાયા હતા.દેવભૂમિ દ્વારકામાં કોરોનાના નવા આઠ કેસ નોંધાયા હતા.
અમરેલી ઉપરાંત જામનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના સાત કેસ,મોરબી અને રાજકોટ કોર્પોરેશન વિસ્તાર,વડોદરા ગ્રામ્યમાં માં પણ અનુક્રમે સાત-સાત કેસ નોંધાયા હતા.આણંદ,સાબરકાંઠા તેમજ સુરેન્દ્રનગરમાં અનુક્રમે પાંચ-પાંચ કેસ નોંધાયા હતા.ભાવનગર ગ્રામ્યમાં ચાર કેસ જયારે બનાસકાંઠામાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા હતા.અરવલ્લી અને જામનગર ગ્રામ્યમાં બે-બે કેસ નોંધાયા હતા.બોટાદ, જુનાગઢ કોર્પોરેશન તેમજ મહિસાગર,મહેસાણા તથા તાપીમાં એક-એક કેસ નોંધાયા હતા.