બળાત્કાર કેસમાં સજા કાપી રહેલા કથિત ધર્મગુરુ આરાસામ બાપુની તબિયત કોરોના સંક્રમિત થયા પછી બગડી ગઈછે.તેમને જોધપુરમાં એમડીએમ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા બાદ તેને વેન્ટિલેટર પર મોકલી દેવાયા છે.જણાવી દઈએ કે આશારામ બાપુ પર 16 વર્ષની છોકરી પર યૌન ઉત્પિડનનો આરોપમાં જેલમાં ગયા છે. કોરોના પોઝીટીવ થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ઓક્સિજન લેવલ ઘટી જતાં વેન્ટિલેટર પર રખાયા
શ્વાસ લેવામાં તકલીફ પડવાની ફરિયાદ બાદ બુધવારે રાતે આશારામને હોસ્પિટલ ગઈ જવાયા હતા.સૂત્રોએ જણાવ્યા મુજબ તેમને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર રખાયા છે.તેની હાલત સ્થિર બતાવાઈ રહી છે.કોવિડ 19 પરિક્ષણ માટે અન્ય કેદીઓની સાથે તેમના પણ નમૂના લેવાયા હતા.જેમાં તેમનું પરિણામ પોઝીટીવ આવ્યું હતું. જેલના એક અધિકારીએ ખાનગી ખુલાસો કર્યો છે કે 80 વર્ષીયઆશારામને બેચેનીની ફરિયાદ હતી અને જ્યારે તેઓને હોસ્પિટલ દાખલ કરાયા ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું.બુધવારે રાત્રે તાવ અને શ્વાસની ફરિયાદ પછી તેમની હાલત બગડી હતી. તેમને રાત્રે જ દવાખાને દાખલ કરાયા હતા.
બાપુની સાથે બીજા 12 કેદીઓ પણ પોઝીટીવ આવ્યા
સમાચાર સાંભળીને તેમના અનુયાયીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.પોલિસના લોકોને સંભાળવામાં મુશ્કેલી પડી હતી. કેટલાક લોકો હોસ્પિટલ પરિસરમાં પ્રવેશ કરવાના પ્રયાસો કરતા હતા.હોસ્પિટલમાં ઘૂસવા દરમિયાન બે મહિલાઓસહિત કેટલાક અનુયાયીઓને હિરાસતમાં લીધા હતા.આસારામ બાપુને જોધપુર એમ્સમાં મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે.બાપુની સાથે બીજા 12 કેદીઓ પણ પોઝીટીવ આવ્યા હતા.
બાપુએ પોતાની તબિયતનું બહાનું ધરીને જામીન માગ્યા હતા
આ પહેલા આશારામ બાપુએ પોતાની તબિયતનું બહાનું ધરીને જામીન માગ્યા હતા.હાલ તે જોધપુર જેલમાં પોતાની સજા કાપી રહ્યા છે.વર્ષ 2014માં આશારામ બાપુની ધરપકડ કરાઈ હતી.