By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના સામેની સાવચેતી વિકાસશીલ ભારતના ભવિષ્ય માટે નિર્ણાયક
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > કોરોના સામેની સાવચેતી વિકાસશીલ ભારતના ભવિષ્ય માટે નિર્ણાયક
BusinessGeneralNational

કોરોના સામેની સાવચેતી વિકાસશીલ ભારતના ભવિષ્ય માટે નિર્ણાયક

HM News
Last updated: 23/03/2020 11:18 AM
HM News
5 years ago
Share
SHARE

વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન (WHO)એ વૈશ્વિક રોગચાળો જાહેર કરેલા કોરોના વાઇરસની અસરને ખાળવા માટે ‘જનતા કર્ફ્યુ’ અસરકારક સાબિત થશે. અગાઉના સાર્સ, એચ૧એન૧ કે ઇબોલા વાઇરસે ભારતમાં ગંભીર સ્થિતિ સર્જી નહોતી પરંતુ કોરોનાને લઇને સરકાર તથા નાગરિકો ઘણાં સતર્ક છે અને શરૂઆતના સમયમાં ભારતે કોરોના સામે જે પ્રકારની તૈયારીઓ કરી છે તેની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઇ છે. ભારત જેવા વિકાસશીલ દેશ માટે કોરોના આર્થિક મોચરે અનેક પડકારો લઇને આવ્યો છે પરંતુ સાથોસાથ ક્રૂડ ઓઇલના ઘટેલા ભાવ તથા ચીનમાંથી મેન્યુફેક્ચરિંગ કામગીરી ભારતમાં આવવાની શક્યતાઓના કારણે આવનારા સમયમાં ઘણાં સાનુકૂળ પરિણામો પણ જોવા મળશે.

કોરોના વાઇરસના કારણે યુરોપના અનેક મોટા શહેરો લોક-ડાઉન છે પરંતુ ચીને આ વાઇરસ પર અંકુશ મેળવ્યો છે તે મહત્ત્વની બાબત છે. જોકે, વિશ્વભરના શેરબજારોમાં કોરોના વાઇરસના કારણે તીવ્ર કડાકો જોવા મળ્યો છે અને લિક્વિડિટીના હેતુથી વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારોમાં પણ વેચવાલી કરી છે. જોકે, ભારતીય અર્થતંત્રના ફંડામેન્ટલ્સ બાબતે વિદેશી રોકાણકારો આશ્વસ્ત છે અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)ના મોટા રોકાણથી એ સ્પષ્ટ છે કે આવનારા સમયમાં કોરોનાથી સર્જાયેલી સ્થિતિમાં સુધારો આવશે ત્યારબાદ ભારતીય શેરબજારો અન્ય બજારોની તુલનાએ વધારે સારો દેખાવ કરશે.

કોરોનાના કારણે ભારતમાં અનેક શહેરોમાં પણ લોક-ડાઉનની સ્થિતિ જોવા મળી શકે છે અને મેન્યુફેક્ચરિંગ તથા સર્વિસિસ ઉદ્યોગોને મોટી અસર થઇ શકે છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસના કારણે આર્થિક મોરચે થઇ રહેલી સમસ્યાઓના નિરાકરણ માટે એક ખાસ ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. ભારતીય અર્થતંત્ર માટે ક્રૂડના તળિયાના ભાવ સૌથી મોટી રાહતની વાત છે. ક્રૂડના ભાવમાં ઘટાડાના કારણે ફુગાવામાં પણ સીધો ઘટાડો થશે. ફુગાવાની ચિંતા દૂર થવાથી એપ્રિલ મહિનામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) વ્યાજદરમાં ઘટાડો જાહેર કરે તેવી પૂરી શક્યતા છે. કોરોના વાઇરસના કહેર બાદ સમગ્ર વિશ્વમાં મધ્યસ્થ બેન્કોએ અર્થતંત્રને ટકાવી રાખવા માટે વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે અને આરબીઆઇ પણ તે જ દિશામાં આગળ વધશે એ નક્કી છે. સસ્તા ધિરાણદરના કારણે ભારતીય વેપાર-ઉદ્યોગ જગતમાં પણ લિક્વિડિટીની સ્થિતિમાં સુધારો થશે.

કોરોના વાઇરસના કારણે મલ્ટિનેશનલ કંપનીઓ તેમની સપ્લાય ચેઇનમાં બદલાવ કરશે અને ચીન પરની નિર્ભરતા ઘટાડશે જેથી કોઇ એક દેશમાં આકાર લેતી સ્થિતિના કારણે તેમની સપ્લાય પર તીવ્ર અસર ના થાય. આ સ્થિતિમાં ભારતને મહત્તમ લાભ મળશે અને ‘મેઇક ઇન ઇન્ડિયા’ હેઠળ અનેક નવી કંપનીઓ ભારતમાં પોતાની ઉત્પાદન સુવિધાઓ સ્થાપશે. એનાલિટિક્સ કંપની ડન એન્ડ બ્રાડસ્ટ્રીટના જણાવ્યા મુજબ વિશ્વમાં નામના ધરાવતી ૧૬૩ ફોર્ચ્યુન ૧,૦૦૦ કંપનીઓ સહિત ઓછામાં ઓછી ૫૧,૦૦૦ કંપનીઓ ચીનના અસરગ્રસ્ત હુબેઇ પ્રાંતમાં ડાયરેક્ટ સપ્લાયર ધરાવે છે જ્યારે જ્યારે ૫૦ લાખ કંપનીઓના બીજા ક્રમના સપ્લાયરો આ પ્રાંતમાં છે. ૨૦૦૩માં સાર્સ ત્રાટક્યો ત્યારે વૈશ્વિક જીડીપીમાં ચીનનું પ્રદાન માત્ર ચાર ટકા હતું, જે હાલમાં ૧૮ ટકા છે અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં તેનો દબદબો છે.

ભારતીય ઉત્પાદકો અનેક રો-મટિરિયલ્સ માટે ચીન પર આધારિત છે પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં સ્થિતિમાં એ બદલાવ આવ્યો છે કે અગાઉ ચીનથી ફિનિશ્ડ પ્રોડક્ટ્સ આયાત થતી હતી તેના સ્થાને હવે એસેમ્બલીંગ કામગીરી ભારતમાં થાય છે. અનેક ચીની કંપનીઓ પણ ભારતમાં પ્લાન્ટ સ્થાપી રહી છે અને તેના કારણે સ્થાનિક ઇકોસિસ્ટમને લાભ મળશે. સ્માર્ટફોન કેમેરા મોડ્યૂલ્સ અને એન્ટેના પણ હવે ભારતમાં બની રહ્યા છે તે જોતાં કહી શકાય કે કોરોનાની વિદાય બાદ નવી વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતનું સ્થાન વધારે મજબૂત બનવાની ઉજળા સંજોગો છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં ચીનની કંપનીઓના રોકાણમાં પાચથી છ ગણો વધારો થયો છે અને હાલની કટોકટી પૂરી થયા બાદ અન્ય મલ્ટિ નેશનલ કંપનીઓ પણ ભારતમાં નવા રોકાણ કરશે એ નિશ્ચિત છે. ૨૦૨૦ના બજેટમાં પણ વિવિધ કોમ્પોનન્ટ્સ અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સના ઇમ્પોર્ટ ટેરિફ વધારવામાં આવ્યા છે તેના કારણે સ્થાનિક ઉત્પાદન વધશે.ભારતીયોએ કોરોના સામે હાલમાં સંપૂર્ણ સાવચેતી રાખીને શક્ય તેટલો સમય ઘરે રહેવું જોઇએ અને આ પડકાર સામે વિજય મેળવ્યા બાદ બમણી તાકાતથી આર્થિક મહાસત્તા બનવાનો સંકલ્પ કરવો જોઇએ.

સુરતના વોર્ડ નંબર 18માં આચારસંહિતા ભંગની ફરિયાદ, ભાજપે મતદાન મથક નજીક ટેબલ ગોઠવી મતદારોને ભોળવવા ડમી EVM મૂક્યાની કોંગ્રેસની રાવ
રાજ્યમાં 100 PI બાદ 77 PSIની બદલી , સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં પોલીસબેડામાં ધરખમ ફેરફાર
J&Kના પૂર્વ ગવર્નરની ફરિયાદને પગલે CBIએ બે FIR નોંધી
‘મેં જિંદગી જીવી લીધી છે, આ મહિલાના પતિ મારો બેડ આપો : RSSના 85 વર્ષીય સ્વયંસેવકે પોતાનો બેડ આપ્યો
ભારતે અમેરિકા પાસેથી 30 પ્રિડેટર ડ્રોન ખરીદવાની યોજના કરી રદ, આ છે કારણ
Share This Article
Facebook Email Print
Previous Article સુરત: મહિધરપુરા હીરા બજારમાંના સેઇફ વોલ્ટમાંથી નાણા-જોખમ ઉઠાવવા માટે ધસારો
Next Article ‘કોરોના’ના કહેર વચ્ચે LICએ તેના ગ્રાહકો માટે લીધો આ મોટો નિર્ણય, મળશે રાહત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up