સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે,સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 51408 પર પહોંચી ગયો છે.આ સાથે શહેર જિલ્લામાં કોરોનાછી મૃત્યુઆંક 1135 થયો છે.ગત રોજ શહેરના 115 અને જિલ્લાના 23 લોકો મળી કુલ 138 લોકો કોરોનામાંથી સાજા થયા હતા.શહેર જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં 49624 દર્દીઓ રિકવર થયા છે.
પોઝિટિવ કેસની સંખ્યા 100ની અંદર
બુધવારથી શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 100ની અંદર જ રહેવા પામી છે. હાલ શહેર જિલ્લામાં 649 એક્ટિવ કેસ છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા અને કોરોનામાં મોત થવાનું પ્રમાણ ઘટી રહ્યું છે.
ડાયમંડ બજાર સાથે સંકળાયેલા 2 અને કાપડ બજાર સાથે સંકળાયેલા 3 પોઝિટિવ
નવા નોંધાયેલા કેસમાં ડાયમંડ બજાર સાથે સંકળાયેલા 2 અને કાપડ બજાર સાથે સંકળાયેલા 3 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આ ઉપરાંત લોનનું કામકાજ કરનાર,ઝેરોક્સની દુકાન ચલાવનાર,કાર દલાલ,આર્કિટેક્ટ,વિદ્યાર્થીઓ,એમ્બ્રોઇડરીનું કામકાજ કરનાર,ભાટપોર જીઆઇડીસીમાં કામ કરનાર,બાંધકામના ધંધા સાથે સંકળાયેલ, એસ્સારમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરનાર,પાર્લેપોઈન્ટમાં જવેલરીની દુકાન ચલાવનાર અને સીએ સહીત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.


